Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»LIFESTYLE»Salt Storage: ચોમાસામાં મીઠું ભીનું થઈને ચોંટી જાય છે? અપનાવો આ સરળ ઘરગથ્થુ ઉપાયો
    LIFESTYLE

    Salt Storage: ચોમાસામાં મીઠું ભીનું થઈને ચોંટી જાય છે? અપનાવો આ સરળ ઘરગથ્થુ ઉપાયો

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 31, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Salt Storage: ચોમાસામાં મીઠા અને ખાંડમાં કેમ જામી જાય છે ભેજ? જાણી લો ચોખા અને લવિંગના ઉપયોગથી કોરું રાખવાની ટ્રિક્સ

    ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રસોડામાં એક સામાન્ય પણ ત્રાસદાયક સમસ્યા ઉભી થાય છે. નમક (મીઠું) અને ખાંડના ડબ્બા ખોલતાં જ તેમાં ભેજ આવી ગયો હોવાનું માલૂમ પડે છે. ઘણીવાર મીઠું એટલું ચોંટી જાય છે કે તેને ચમચી કે નમકદાનીમાંથી બહાર કાઢવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ચોમાસામાં મીઠું આટલું ઝડપથી ભીનું કેમ થઈ જાય છે અને તેનાથી બચવાના સરળ ઘરગથ્થુ ઉપાયો કયા છે?

    ચોમાસામાં મીઠું ભીનું થવાનું મુખ્ય કારણ

    વરસાદની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ (Humidity) સામાન્ય દિવસોની સરખામણીએ ખૂબ વધી જાય છે. મીઠું સ્વભાવે હાઇગ્રોસ્કોપિક (Hygroscopic) ગુણધર્મ ધરાવે છે, એટલે કે તે વાતાવરણમાં રહેલા ભેજને ખૂબ જ ઝડપથી પોતાની તરફ આકર્ષિત કરીને સોષી લે છે.

    જ્યારે પણ આપણે રસોડામાં મીઠાનો ડબ્બો કે નમકદાની વારંવાર ખોલીએ છીએ, ત્યારે હવામાંનો ભેજ ડબ્બાની અંદર પ્રવેશ કરે છે. જો ડબ્બો એર-ટાઇટ ન હોય કે ભેજવાળી જગ્યાએ રાખવામાં આવ્યો હોય, તો થોડા જ દિવસોમાં મીઠું ભીનું થઈને ગઠ્ઠામાં ફેરવાઈ જાય છે.

    ચોખાના દાણાનો અચૂક પ્રયોગ

    વરસાદમાં મીઠાને કોરું રાખવા માટેનો સૌથી જૂનો અને અસરકારક ઘરગથ્થુ ઉપાય ચોખાના દાણા છે. ચોખામાં કુદરતી રીતે જ વધારાનો ભેજ સોષવાની અદ્ભુત ક્ષમતા હોય છે.

    • નાની નમકદાની માટે: નમકદાનીમાં તળિયે થોડા કાચા ચોખાના દાણા નાખી દો અને ઉપર મીઠું ભરો.

    • મોટા ડબ્બા માટે: ચોખાના દાણાને એક નાની સુતરની કાપડની પોટલી કે નેપકિનમાં બાંધીને મીઠાના ડબ્બામાં રાખી દો. આનાથી મીઠું લાંબા સમય સુધી સૂરકા અને છૂટું રહેશે.

    કોફી બીન્સ (Coffee Beans) નો ઉપયોગ

    જો તમારા ઘરમાં આખા કોફી બીન્સ હોય, તો તે પણ ભેજ દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. કોફી બીન્સ હવામાં રહેલા ભેજને ઝડપથી શોષી લે છે. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી મીઠા કે ખાંડના સ્વાદમાં કોઈ ફેરફાર થતો નથી.

    લવિંગની મદદથી ભેજ નિયંત્રણ

    લવિંગ માત્ર રસોઈનો સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ રસોડાની આવી નાની-મોટી સમસ્યાઓ ઉકેલવામાં પણ ઉપયોગી છે. લવિંગ પણ વાતાવરણના ભેજને ઓછો કરવામાં મદદ કરે છે.

    જોકે, લવિંગની તીવ્ર સુગંધ મીઠા કે ખાંડમાં ભળી ન જાય તે માટે તેને સીધા નાખવાને બદલે એક પાતળા અને સ્વચ્છ કપડામાં બાંધીને ડબ્બાની અંદર રાખવું વધુ હિતાવહ છે.

    રાજમાના દાણા પણ છે ફાયદાકારક

    ખૂબ ઓછા લોકો જાણે છે કે સૂકા રાજમાના દાણા પણ વધારાના ભેજને સોષવાનું ઉત્તમ કામ કરે છે. ચોમાસા દરમિયાન મીઠા અને ખાંડના ડબ્બામાં 3-4 સૂકા રાજમાના દાણા નાખી દેવાથી તેમાં ભેજ જામવાની શક્યતા નગણ્ય થઈ જાય છે.

    આ બાબતોનું પણ રાખો ધ્યાન

    ઉપાયો સિવાય કેટલીક નાની કાળજી રાખવી પણ જરૂરી છે:

    • હંમેશા એર-ટાઇટ (Air-tight) કાચ અથવા પ્લાસ્ટિકના કન્ટેનરનો જ ઉપયોગ કરો.

    • ભેજવાળા કે ભીના હાથે ક્યારેય મીઠાના ડબ્બામાંથી મીઠું ન કાઢો.

    • મીઠાના ડબ્બાને રસોડામાં ગેસ કે સિંકની નજીક રાખવાને બદલે સુકી જગ્યાએ સ્ટોર કરો.

    Salt Storage
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      વધેલી બ્રેડ ફ્રિજમાં રાખવી કે બહાર? જાણો તાજી રાખવાની સાચી રીત અને મહત્વપૂર્ણ ટીપ્સ

      August 7, 2026

      Hair Care: રફ સ્કિન અને શુષ્ક વાળથી પરેશાન છો? આ સરળ હોમ રેમેડીઝથી મેળવો કુદરતી ચમક

      July 29, 2026

      Walking Rules: વજન ઘટાડવા માટે ટ્રેન્ડિંગ ‘3-3-3 વોકિંગ ફોર્મ્યુલા’: જાણી લો જાપાનની આ ખાસ વોકિંગ ટેકનિકના અદ્ભુત ફાયદા

      July 22, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.