દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને ત્રણ વર્ષ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી આ મામલે તપાસ ચાલી રહી છે. અભિનેતા ૧૪ જૂન ૨૦૨૦ના રોજ તેના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુ બાદ તેના ચાહકો સતત અભિનેતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર આ અંગે ટ્રેન્ડ ચલાવે છે. અભિનેતાના મૃત્યુ પહેલા તેની મેનેજર દિશા સાલિયને પણ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. હવે ત્રણ વર્ષ બાદ બંનેના મોત અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. હકીકતમાં હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન, મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સુશાંતના કેસ વિશે વાત કરી…
Author: Shukhabar Desk
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચીને હિંસા પીડિતોને મળવા એરપોર્ટથી રવાના થયા હતા ત્યારે માત્ર ૨૦ કિમી જ આગળ વધતા તેમના કાફલાને બિષ્ણુપુર જિલ્લામાં પોલીસે રોકી દીધો હતો. પોલીસે કહ્યું હતું કે આગળ અશાંતિ છે. રાહુલ ગાંધી આજથી મણિપુરના બે દિવસીય પ્રવાસ પર છે. તેઓ આજે સવારે દિલ્હીથી ફ્લાઇટ દ્વારા મણિપુર પહોચ્યા હતા. રાહુલ ગાંધી આજે અને આવતીકાલે મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેશે અને પીડિતોની સ્થિતિ જાણશે. આ ઉપરાંત રાહુલ મણિપુરની રાજધાની ઈમ્ફાલ અને ચુરાચંદપુરમાં નાગરિક સમાજના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. બપોરે તુઈબોંગમાં ગ્રીનવુડ એકેડમી અને ચુરાચંદપુરમાં સરકારી કોલેજની મુલાકાત લેશે જેના બાદ કોન્ઝેંગબામમાં કોમ્યુનિટી હોલ અને મોઇરાંગ કોલેજ પહોચશે.…
કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃતિઓ પર પ્રતિબંધ લાગુ ન કરવા મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકરે આકરા પ્રહાર કર્યા છે. બુધવારે તેમણે કહ્યુ કે વોટ બેન્ક પોલિટિક્સના કારણે આવુ થઈ રહ્યુ છે. ભારત વિરોધી તત્વો પર રોક ન લગાવવાના કારણે જ બંને દેશોના સંબંધો નીચલા સ્તરે છે. એટલુ જ નહીં આ અવસરે તેમણે ચેતવણી પણ આપી અને કહ્યુ કે જાે કેનેડામાં થઈ રહેલી પ્રવૃતિઓથી ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતા પર જાેખમ પેદા થશે તો પછી ભારત તેની પર એક્શન લેશે. અમારા માટે મહત્વનું એ છે કે કેનેડા ખાલિસ્તાન મુદ્દે કઈ રીતે ડીલ કરે છે. તેમણે કહ્યુ કે કેનેડા વોટ બેન્કની રાજનીતિના કારણે આ…
આઈસીસી દ્વારા ભારતમાં રમાનાર વનડે વર્લ્ડ કપ ૨૦૨૩નું શેડ્યુલ જાહેર કરી દેવાયું છે. ૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર દરમિયાન રમાનારી આ ટુર્નામેન્ટની સૌથી મોટી ટક્કર ૧૫ ઓક્ટોબરે અમદાવાદમાં થશે. ભારત-પાકિસ્તાનની ટક્કર જાેવા આખી દુનિયા આતુર છે. પાકિસ્તાનની ટીમ ભારત આવવાની તૈયારી કરી રહી છે. બાબર આઝમ સાથે ભારતમાં એવું થવા જઈ રહ્યું છે, જે તેણે અત્યાર સુધીના કરિયરમાં ન તો જાેયું છે અને ન તો અનુભવ્યું છે. પાકિસ્તાનની ટીમ બાબર આઝમની કેપ્ટનશીપમાં પહેલીવાર ભારતમાં રમશે. બાબર પણ તેના ઇન્ટરનેશનલ કરિયરમાં પ્રથમ વખત ભારતમાં મેચ રમશે. તે આખી દુનિયામાં ઘણી જગ્યાએ રમ્યો, પરંતુ હવે તેને ભારતમાં રમવાનો અનુભવ મળશે. દુનિયાનું કોઈ પણ…
મહારાષ્ટ્રમાં હાલ મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ એટલે કે એમપીએલ ટી૨૦ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ જ ટૂર્નામેન્ટના ક્વોલિફાયર ૨માં એવી ઘટના જાેવા મળી હતી, જેને જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે એક ક્લીન બોલ્ડ માટે થર્ડ અમ્પાયરની મદદ લેવી પડી હતી. બેટ્સમેને બોલ રમ્યો અને કોઈ સંપર્ક ન થતા તેણે વાઈડ બોલ માટે અપીલ કરી, પરંતુ જ્યારે બેલ્સ પડી ગયા, ત્યારે બધાને લાગ્યું કે તે બોલ્ડ થઇ ગયો છે. એમપીએલની ક્વોલિફાયર-૨ મેચ કોલ્હાપુર ટસ્કર્સ અને પુનેરી બપ્પા વચ્ચે રમાઈ રહી હતી. પુનેરીની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. પાવરપ્લે પુરો થયો અને કોલ્હાપુર તરફથી તરનજીત સિંહ સાતમી ઓવર નાખવા…
૧ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ ૩ લાખ શ્રદ્ધાળુઓએ એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આવતીકાલે ભગવતી નગરથી ભક્તોની પ્રથમ ટુકડી અમરનાથ ગુફા તરફ રવાના થશે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના પ્રવેશદ્વાર લખનપુરથી કાશ્મીર સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ વર્ષે યાત્રામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી અપેક્ષા છે. ગત વર્ષે ૪૪ દિવસની યાત્રામાં લગભગ ૨૦ દિવસ ખરાબ હવામાનને કારણે પ્રવાસને ઘણી અસર થઈ હતી. આ…
વિદેશી ખર્ચ અને ટીસીએસ અંગે મોટી ખબર સામે આવી રહી છે. જેનાથી વિદેશમાં ફરવા જનારને મોજ પડી શકે છે. હવે ક્રેડિટ કાર્ટ દ્વારા વિદેશી ખર્ચ પર કોઈ ટીસીએસ એટલે કે ટેક્સ અટ સોર્સ કપાશે નહીં. સરકારે આ માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવેલુ પેમેન્ટ એલઆરએસ એટલે કે લિબ્રલાઈઝ્ડ રેમિટેન્સ યોજના હેઠળ આવશે નહીં. વાર્ષિક ૭ લાખ સુધીના વિદેશી ખર્ચ પર કોઈ ટીસીએસ લાગશે નહીં. નાણા મંત્રાલયે કહ્યુ કે પ્રતિ વ્યક્તિ ૭ લાખ રૂપિયા સુધી વાર્ષિક એલઆરએસ હેઠળ વિદેશી ટૂર પેકેજ પર ખર્ચની ચૂકવણી કોઈ પણ પ્રકારે કરી હોય તેની પર…
ભારતમાં ચંદ્રયાન-૩ મિશનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ચંદ્રયાન-૩ને ૧૨-૧૯ જુલાઈ વચ્ચે લોન્ચ કરવામાં આવી શકે છે. ઈસરોના ચીફ એસ.સોમનાથે જણાવ્યું કે, લોન્ચની તારીખ અંગે ઘણી વાતો થઈ રહી છે. હાલ ઘણા પરીક્ષણો ચાલી રહ્યા છે અને તે પૂર્ણ થયા બાદ અંતિમ તારીખ જાહેર કરાશે. અગાઉ એવી માહિતી મળી હતી કે, ઈસરો ૧૩મી જુલાઈએ બપોરે ૨.૩૦ વાગ્યે ચંદ્રયાન-૩ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પહેલા ચીન, અમેરિકા, રશિયા તેમના અવકાશયાન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ કરી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે આ મિશન ‘બાહુબલી’ એટલે કે જિયોસિક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એમકે…
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ અનેક વિસ્તારોમાં વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો હોવાથી રોડ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાને કારણે તેમજ રોડ પર વાહન ચલાવતા લોકોને ભારે હાલાકોની સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નરોડા, સરદારનગર, એરપોર્ટ, શાહીબાગ, વાડજ, આશ્રમરોડ, નવરંગપુરા, ગોતા, નારણપુરા, આંબાવાડી, એસ જી હાઈવે, પાલડી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ સક્રિય થવાથી…
બોલીવુડની વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. આ ફિલ્મ ૭૨ હૂરેં છે. આ ફિલ્મના ટ્રેલરને રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સેન્સર બોર્ડે આ ફિલ્મના ટ્રેલરને આપત્તિજનક માનીને રીજેક્ટ કરી દીધું હતું પરંતુ તેમ છતાં ફિલ્મના ટ્રેલર્સને થિયેટર્સમાં ન દેખાડી અને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જાેકે આશ્ચર્યજનક વાત એ પણ છે કે સેન્સરબોર્ડ એ ફિલ્મને પહેલાથી જ ગ્રીન સિગ્નલ આપી દીધું છે. પરંતુ બોર્ડ દ્વારા ટ્રેલરને રિજેક્ટ કરી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી ફિલ્મ મેકર્સે ટ્રેલરને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરી દીધું છે. મહત્વનું છે કે ફિલ્મના ટ્રેલરને વિવાદિત જણાવીને ૨૭ જૂને સેન્સર બોર્ડે રિજેક્ટ…