Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»RBI ના નવા નિયમો: હવે બેંકો ગ્રાહકોને ગેરમાર્ગે નહીં દોરી શકે, જાણો શું છે નવી ગાઈડલાઈન
    Business

    RBI ના નવા નિયમો: હવે બેંકો ગ્રાહકોને ગેરમાર્ગે નહીં દોરી શકે, જાણો શું છે નવી ગાઈડલાઈન

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 16, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    RBI: શું તમને પણ પૂછ્યા વગર બેંક સ્કીમ પકડાવે છે? તો આ સમાચાર તમારા માટે છે.

    ભારતીય રિઝર્વ બેંક (RBI) હંમેશા તેના ગ્રાહકોની સુરક્ષા અને તેમની સુવિધાને સર્વોપરી રાખે છે. કેન્દ્રીય બેંક સમય-સમય પર બેંકો માટે કડક નિયમો ઘડતી રહે છે, જેથી નાણાકીય વ્યવહાર પારદર્શક અને સુરક્ષિત રહે. તાજેતરમાં, RBI એ બેંકોને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ ગ્રાહકોને કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપીને કે ગેરમાર્ગે દોરીને પ્રોડક્ટ્સ વેચી શકશે નહીં. જો કોઈ બેંક આ નિયમોનું ઉલ્લંઘન કરતી જણાશે, તો તેના પર કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

    શું છે RBI નો નવો આદેશ?

    સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં પોતાની સામાન્ય પૂછપરછ માટે જાય છે, ત્યારે બેંકના કર્મચારીઓ કે એજન્ટો તેમને તેમની જરૂરિયાત વગરની કોઈ સ્કીમ કે મોંઘી ઇન્સ્યોરન્સ પોલિસી પકડાવી દે છે. આ ઉપરાંત, ઓનલાઈન બેંકિંગમાં પણ ઘણીવાર ‘મિસલીડિંગ’ લિંક્સ કે વિકલ્પો હોય છે, જેના પર ક્લિક કરતાની સાથે જ ગ્રાહકની મંજૂરી વિના કોઈ પ્રોડક્ટ કે સેવા સક્રિય થઈ જાય છે.

    આ સમસ્યાઓને મૂળમાંથી નાબૂદ કરવા માટે, RBI એ 15 જૂન, 2026 ના રોજ ‘રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (કોમર્શિયલ બેંક) નો બીજો સુધારેલો નિર્દેશ 2026’ બહાર પાડ્યો છે. આ નિયમો તમામ કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને લોકલ એરિયા બેંકોને લાગુ પડશે. આ નવી વ્યવસ્થાને સંપૂર્ણપણે અમલમાં મૂકવા માટે બેંકોને 1 જાન્યુઆરી, 2027 સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે, પોતાની આંતરિક સિસ્ટમ સુધારવા માટે બેંકો પાસે લગભગ સાડા છ મહિનાનો સમય છે.

    બેંકોએ પાળવા પડશે આ કડક નિયમો

    RBI ના આ નવા નિર્દેશોમાં ગ્રાહકોની સુવિધા અને પારદર્શિતા માટે ઘણા મહત્ત્વના મુદ્દાઓ છે:

    • DSA અને DMA ની અપડેટેડ યાદી: હવે તમામ બેંકોએ તેમની અધિકૃત વેબસાઇટ પર તમામ એમ્પેનલ્ડ DSA (ડાયરેક્ટ સેલ્સ એજન્ટ) અને DMA (ડાયરેક્ટ માર્કેટિંગ એજન્ટ) ની યાદી જાહેર કરવી પડશે. જો આ યાદીમાં કોઈ પણ ફેરફાર થાય, તો તેને સાત દિવસની અંદર વેબસાઇટ પર અપડેટ કરવું ફરજિયાત રહેશે.

    • સ્પષ્ટ ઓળખ: ઘણીવાર ગ્રાહકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે સામે વાળી વ્યક્તિ બેંકનો કર્મચારી છે કે બહારનો એજન્ટ. હવે RBI એ સ્પષ્ટ કર્યું છે કે બેંક શાખાએ પોતાના કર્મચારીઓ, થર્ડ પાર્ટી એજન્ટો કે પ્રોડક્ટ રિપ્રેઝન્ટેટિવ્સ વચ્ચે તફાવત સ્પષ્ટ રાખવો પડશે. આ માટે તેમના ડ્રેસ કોડ અથવા ઓળખ કાર્ડમાં સ્પષ્ટ ભેદભાવ રાખવો જરૂરી છે.

    • કોડ ઓફ કંડક્ટનું પાલન: બેંકોએ તમામ DSA અને DMA પાસેથી લેખિતમાં અન્ડરટેકિંગ લેવું પડશે કે તેઓ અને તેમના સબ-એજન્ટો બેંકના ‘કોડ ઓફ કંડક્ટ’ (આચાર સંહિતા) નું ચુસ્તપણે પાલન કરશે. આ આચાર સંહિતાને બેંકની વેબસાઇટ પર જાહેર કરવી પડશે જેથી ગ્રાહકો પણ જાણી શકે કે એજન્ટોએ કેવી રીતે વર્તવું જોઈએ.

    • સંપર્ક કરવાનો સમય: હવે એજન્ટો ગ્રાહકોને ગમે ત્યારે ફોન કે મુલાકાત કરી શકશે નહીં. એજન્ટો ગ્રાહકો સાથે માત્ર સવારે 9:00 થી સાંજે 7:00 વાગ્યાની વચ્ચે જ સંપર્ક કરી શકશે.

    • મંજૂરી વિના મુલાકાત મનાઈ: ગ્રાહકની સ્પષ્ટ મંજૂરી વગર કોઈ પણ એજન્ટ તેમના ઘરે કે ઓફિસે જઈ શકશે નહીં. ઉપરાંત, કોઈ પણ થર્ડ પાર્ટી એજન્ટ પોતાને બેંકનો કાયમી કર્મચારી ગણાવી શકશે નહીં કે ગ્રાહકને ખોટા વાયદા કરી શકશે નહીં.

    ગ્રાહકો માટે આ નિર્ણય શા માટે મહત્વનો છે?

    ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો બેંકના નામ પર છેતરપિંડીનો ભોગ બને છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ખોટી સ્કીમોમાં ફસાવવામાં આવે છે. RBI નો આ નિર્ણય ગ્રાહકોને તેમનો સ્વાયત્ત અધિકાર આપશે. હવે કોઈ પણ ગ્રાહકને તેમની મરજી વિરુદ્ધ કોઈ સેવા લેવા માટે દબાણ કરી શકાશે નહીં. જો બેંકનો કોઈ પ્રતિનિધિ મર્યાદા બહાર વર્તશે, તો ગ્રાહક તેની સામે સીધી ફરિયાદ કરી શકશે, કારણ કે નિયમો હવે ખૂબ જ સ્પષ્ટ અને લેખિતમાં છે.

    RBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      SBI PO Prelims Result 2026: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યું પીઓ પ્રિલિમ્સનું પરિણામ, જાણો મેન્સ પરીક્ષાની તારીખ અને ચેક કરવાની રીત

      August 29, 2026

      ITR ફાઇલ કર્યા પછી પણ ટેક્સ રિફંડ નથી આવ્યું? આ 4 ભૂલો હોઈ શકે છે કારણ, જાણો પૈસા મેળવવાની રીત

      August 29, 2026

      ટાટા સન્સના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટેલી ઘટના: AGM યોજવા ROC પાસેથી મળ્યો 3 મહિનાનો વધારાનો સમય

      August 29, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.