Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»HEALTH-FITNESS»Stomach Infections: ઉનાળામાં પેટની સમસ્યાઓનું વધતું જોખમ: માત્ર ખોરાક જ નહીં, આ કારણો પણ હોઈ શકે છે જવાબદાર
    HEALTH-FITNESS

    Stomach Infections: ઉનાળામાં પેટની સમસ્યાઓનું વધતું જોખમ: માત્ર ખોરાક જ નહીં, આ કારણો પણ હોઈ શકે છે જવાબદાર

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 27, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Stomach Infections: ઉનાળામાં ફૂડ પોઈઝનિંગથી બચવું છે? તો માત્ર ખોરાક જ નહીં, પાણી અને સ્વચ્છતા પર પણ આપો ધ્યાન

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘણીવાર એવું બને છે કે અચાનક ઘર કે ઓફિસમાં અનેક લોકો એકસાથે બીમાર પડી જાય છે. કોઈને ઉલ્ટી, કોઈને ઝાડા, તો કોઈને પેટમાં અસહ્ય મરોડ આવવાની ફરિયાદ રહે છે. મોટાભાગના લોકો તેને ‘ફૂડ પોઈઝનિંગ’ માની લે છે અને માત્ર ખાવા-પીવાને દોષ આપે છે. પરંતુ, તબીબી નિષ્ણાતોના મતે તેની પાછળના કારણો ધાર્યા કરતા વધુ જટિલ હોઈ શકે છે.

    તબીબી નિષ્ણાતોનો મત: ગરમી અને બેક્ટેરિયાનું જોખમ

    કેર હોસ્પિટલના ક્લિનિકલ ડાયરેક્ટર અને સિનિયર કન્સલ્ટન્ટ ડો. આકાશ ચૌધરી જણાવે છે કે, ઉનાળામાં થતી પેટની બીમારીઓ પાછળ ગરમી, ખોરાકનો સંગ્રહ કરવાની રીત, પાણીની ગુણવત્તા અને આસપાસનું વાતાવરણ એમ તમામ પરિબળો જવાબદાર હોય છે.

    જેમ જેમ તાપમાન વધે છે, તેમ તેમ ખોરાકમાં બેક્ટેરિયા (Microbes) ખૂબ જ ઝડપથી ફેલાવા લાગે છે. ઘણીવાર ખોરાક દેખાવમાં કે સુગંધમાં બિલકુલ તાજો લાગતો હોય છે, છતાં તેમાં બેક્ટેરિયા ખતરનાક સ્તર સુધી વધી ગયા હોય છે. ડોક્ટર ચૌધરીના મતે, ઉનાળામાં રાંધેલા ખોરાક અને પીરસવા વચ્ચેનો થોડો સમય પણ જોખમ વધારી શકે છે.

    માત્ર ખોરાક જ નહીં, પાણી પણ છે મોટું કારણ

    આપણે હંમેશા ખોરાકની શુદ્ધતા પર ધ્યાન આપીએ છીએ, પરંતુ પાણીને નજરઅંદાજ કરીએ છીએ.

    • પીવાનું પાણી અને બરફ: બહાર મળતા પીણામાં વપરાતો બરફ અથવા અશુદ્ધ પાણી ઈન્ફેક્શનનું મુખ્ય સ્ત્રોત હોઈ શકે છે.

    • કાચા ફળ અને શાકભાજી: જો તેને યોગ્ય રીતે ધોવામાં ન આવે, તો તેના પર રહેલા જંતુઓ પેટમાં જઈને ગંભીર ચેપ લગાડી શકે છે.

    • સંપર્કથી ફેલાતો ચેપ: જો ઘરમાં એકસાથે અનેક લોકો બીમાર પડે, તો તે માત્ર ખોરાકને કારણે જ નથી હોતું. ઘણીવાર વાયરસને કારણે ગંદા હાથ કે એકબીજાના સંપર્કથી પણ આ બીમારી ફેલાય છે.

    ઉનાળામાં પાચનતંત્ર કેમ નબળું પડે છે?

    ગરમીમાં આપણું શરીર પહેલેથી જ દબાણમાં હોય છે. શરીરમાં પાણીની અછત (Dehydration), અનિયમિત ભોજન અને અતિશય તાપમાન પાચનતંત્રને સંવેદનશીલ બનાવી દે છે. આથી, જે ખોરાક અન્ય ઋતુમાં નુકસાન નથી કરતો, તે ઉનાળામાં પેટમાં ગરબડ પેદા કરી શકે છે.

    ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો?

    મોટાભાગના કિસ્સાઓમાં પેટની સમસ્યાઓ ૨-૩ દિવસમાં આરામ કરવાથી અને પુષ્કળ પ્રવાહી લેવાથી ઠીક થઈ જાય છે. પરંતુ જો નીચે મુજબના લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર ડોક્ટર પાસે જવું જોઈએ: ૧. સતત ઉલ્ટી થવી અને કશું જ પચી ન શકવું. ૨. તેજ તાવ આવવો. ૩. ઝાડામાં લોહી પડવું. ૪. શરીરમાં પાણી ખૂબ જ ઓછું થઈ જવું (મોઢું સુકાવું, પેશાબ ઓછો આવવો).

    બચાવના સરળ ઉપાયો:

    • ખોરાક હંમેશા તાજો અને ગરમ ખાવો.

    • વધેલું ભોજન લાંબો સમય બહાર ન રાખતા તરત જ ફ્રિજમાં મૂકવું.

    • બહારનું ખાવાનું ટાળો, ખાસ કરીને રસ્તા પર મળતા કાપેલા ફળો કે જ્યુસ.

    • જમતા પહેલા અને શૌચાલયના ઉપયોગ બાદ હાથ સાબુથી બરાબર ધોવા.

    • દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ શરબત કે નાળિયેર પાણી પીતા રહેવું.

    Stomach Infections
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Health Care: ઉનાળામાં આવતો દરેક તાવ ‘વાયરલ’ નથી હોતો: જાણો ક્યારે તે બની શકે છે જીવલેણ અને શું કહે છે નિષ્ણાતો?

      April 27, 2026

      Health Tips: વધુ પડતો mouthwash નો ઉપયોગ તમારા શરીરના ‘સારા બેક્ટેરિયા’નો કરી શકે છે નાશ

      April 25, 2026

      Periods માં થતા દુખાવાને સામાન્ય ન ગણો: જાણો ક્યારે ડોક્ટર પાસે જવું છે અનિવાર્ય

      April 25, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.