Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»હમાસને આપી નવેસરથી ચેતવણી ‘પૂરી તાકાતથી કચડી નાખીશું’, અટકવાના મૂડમાં નથી ઇઝરાયેલ
    WORLD

    હમાસને આપી નવેસરથી ચેતવણી ‘પૂરી તાકાતથી કચડી નાખીશું’, અટકવાના મૂડમાં નથી ઇઝરાયેલ

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ, યુદ્ધવિરામની અપીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, હમાસને પુરી તાકાતની સાથે કચડી નાખવા માટે ઇઝરાયેલ લડવાનું ચાલુ રાખશે. બેન્જામિન નેતન્યાહુએ હમાસના આતંકવાદીઓ પાસેથી તમામ ૨૩૯ બંધકોને મુક્ત કરવાની માંગ કરતા કહ્યું કે, જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝામાં નાગરિકોને થતા જાનમાલ સહીતના કોઈપણ નુકસાન માટે હમાસ જ જવાબદાર છે.

    ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે વધતા જતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે ગાઝામાં સત્તાધારી હમાસના આતંકવાદીઓને કચડી નાખવા ઇઝરાયેલની સેના “પૂરી તાકાત” સાથે લડશે. નેતન્યાહુએ એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે ગાઝામાં આતંકવાદીઓ દ્વારા બંધક કરાયેલા તમામ ૨૩૯ બંધકોને મુક્ત કરવામાં આવે તે પછી જ યુદ્ધવિરામ શક્ય બનશે.

    ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, યુદ્ધ પછી ગાઝાને બિનલશ્કરીકરણ કરવામાં આવશે અને ઇઝરાયેલ ત્યાં સુરક્ષા નિયંત્રણ જાળવી રાખશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ગત ૭ ઓક્ટોબરથી શરુ થયું છે.

    ગત સાત ઓક્ટોબરથી શરૂ થયેલા ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે વિશ્વના અનેક દેશોએ અપીલ કરી છે. જાે કે, આ અપીલને ઈઝરાયેલે ઠુકરાવી દીધી છે. ઈઝરાયેલનું કહેવું છે કે, પહેલા હમાસના આતંકીઓ દ્વારા બંધક બનાવેલા બંધકોને વિના શરતે મુક્ત કરવામાં આવે ત્યાર બાદ જ યુદ્ધ વિરામ અંગે કોઈ વિચારણા કરવામાં આવશે.

    ગાઝા ઉપર તુટી પડેલા ઈઝરાયેલને અટકાવવા માટે પેલેસ્ટાઈનની આજૂબાજુના દેશ અને અનેક માનવીય સંસ્થાઓએ વિનાશક યુદ્ધને અટકાવવા માટે અપીલ કરી છે. કેટલીક યુનો સહીતની સંસ્થાએ બન્ને દેશ વચ્ચે મધ્યસ્થી કરવાની પણ તૈયારી બતાવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Prediction 2025:1 જુલાઈ 2025: સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ – વૈશ્વિક અને માનસિક ઊથલ-પૂથલનો સંકેત?

    June 30, 2025

    International Yoga Day: સમગ્ર ભારતે યોગનો ઉત્સવ ઉજવ્યો, સૈન્યથી સમુદાય સુધી યોગની એકતા

    June 21, 2025

    Iran Israel War: જો ઈરાન યુદ્ધ હારે તો શું અમેરિકા તેના પર કબજો કરશે? એક વિશ્લેષણ

    June 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.