દેશભરના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું બેસી ગયું છે. હવામાન ખાતાનું માનીએ તો આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની વકી છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડી રાજ્યો સુધી વરસાદનો સિલસિલો જાેવા મળી રહ્યો છે. ક્યાંક વરસાદના પગલે ગરમીથી રાહત છે તો ક્યાંક વરસાદ આફત બીને વરસી રહી છે. પહાડો પર ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત છે. મંગળવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે. હવે હવામાન વભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. જેને જાેતા હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં આગામી ૨ દિવસ (૨૯ અને ૩૦ જૂન) સુધી હાઈ…
Author: Shukhabar Desk
કૈલાશ પર્વત અને માનસરોવરના દર્શન કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે. હકીકતમાં, અત્યાર સુધી ભારત આ બંને સ્થળોના દર્શન માટે ચીન પર ર્નિભર હતું. ચીનની પરવાનગી મળ્યા બાદ જ અહીંની યાત્રા શક્ય બની હતી. કારણ કે આ બંને તિબેટ પ્રદેશમાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી ચીને આ યાત્રા માટે પરવાનગી આપી નથી, જેના કારણે આ યાત્રા શક્ય બની નથી. આવી સ્થિતિમાં પિથોરાગઢના પ્રશાસનિક અધિકારીઓએ વધુ એક શિખર શોધી કાઢ્યું છે જ્યાંથી કૈલાશ પર્વત ખૂબ જ સરળતાથી જાેઈ શકાય છે. તેથી હવે અહીં આવવા-જવા માટે ચીનની પરવાનગીની જરૂર નથી. વાસ્તવમાં, કૈલાશ પર્વત નાભાઢંગ પાસે લગભગ ૨ કિલોમીટરની ઊંચી ટેકરી…
રાજસ્થાનમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં દૂદૂ નજીક જયપુર-અજમેર નેશનલ હાઈવે પર એક બાદ એક ૩ ટ્રકના ભીષણ અકસ્માત બાદ આગ લાગી ગઈ છે. તેની ચપેટમાં આવવાથી ૫ લોકોના મોત થઈ ગઈ છે. કેટલાય ઢોર મરી ગયા છે. ત્રણેય ટ્રકની ટક્કરથી નેશનલ હાઈવે પર ચિત્કાર ચિસો સાંભળવા મળી હતી. આગ એટલી ભયાનક હતી કે લોકોને બચાવવાનો પણ સમય ન મળ્યો. જ્યાં સુધી કોઈ કંઈ સમજી શકે ત્યાં સુધીમાં ૫ લોકોના મોત થઈ ગયાં. આ દુર્ઘટનામાં કેટલાય ઢોરના જીવ જતાં રહ્યા હતા. દુર્ઘટનાની સૂચના મળતા જ ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ. જયપુરના એએસપી દિનેશ શર્માએ ભીષણ…
દેશમાં આજે પણ લોકોમાં અંધશ્રદ્ધા પ્રવર્તે છે. આ વાતનો પુરાવો ઘણી વખત સામે આવી ચૂક્યો છે. આજે ફરી એક વખત એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જાેઈને તમારું લોહી પણ ઉકળી જશે. ધર્મના નામે ચાલતા ધતિંગનો પરદાફાસ કરતો આ વીડિયો ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાનું હોવાનું સામે આવ્યું છે. બલિયા જિલ્લાના એક ગામનો આ વિડીયો હોવાનું કહેવાય રહ્યું છે. આ વીડિયોમાં એક ધાર્મિક અનુષ્ઠાન દરમિયાન એક પુજારી બાળક સાથે અમાનુષી વર્તન કરે છે. પૂજારી નાનકડા બાળકને ઉકળતા દૂધથી નવડાવે છે. હચમચાવી દે તેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર થયા પછી વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં જે પુજારી જાેવા…
ત્રિપુરામાં એક મોટી દુર્ઘટના બની છે. અહીંના કુમારઘાટમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. જ્યાં રસ્તામાં વીજળીના હાઈ ટેન્શન વાયર સાથે રથ અથડાઈ ગયો હતો. આ કારણે તેમાં કરંટ ફેલાયો અને આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. જ્યારે ૧૫ લોકો દાઝી ગયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પીડિતોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટના આજે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે ઉનાકોટી જિલ્લાના કુમારઘાટ ખાતે બની હતી. અહીં ભગવાન જગન્નાથનો ‘ઉલ્ટા રથયાત્રા’ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. જેમાં ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ હતી. લોખંડના બનેલા વિશાળ રથને હજારો લોકો હાથ વડે…
શેરબજારમાં કોઈ કંપનીનો આઈપીઓ આવે ત્યાર પછી તેના લિસ્ટિંગમાં હવે વધુ સમય નહીં લાગે. સેબીએ કરેલા નવા સુધારાના કારણે આઈપીઓ પછી માત્ર ત્રણ દિવસની અંદર શેરબજારમાં તેનું લિસ્ટિંગ થઈ જશે. હાલમાં લિસ્ટિંગમાં છ દિવસનો સમય લાગે છે. આઈપીઓના લિસ્ટિંગનો સમય ઘટાડવા માટે સેબી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી જેને સેબીના બોર્ડે મંજૂરી આપી દીધી છે. ઈશ્યૂ બંધ થાય તે દિવસથી ત્રણ દિવસ ગણવામાં આવશે. ્ ૩ પ્રમાણે સુધારેલો સમયગાળો બે તબક્કામાં લાગુ થશે. સૌથી પહેલા તે ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ પછી સ્વૈચ્છિક રાખવામાં આવશે અને ૧ ડિસેમ્બર ૨૦૨૩ પછી તે ફરજિયાત કરવામાં આવશે. સેબીએ સ્થાનિક બજારમાં રોકાણ કરતા હાઈ રિસ્ક ઓફશોર…
૨૩ વર્ષીય સાહિલ ખાન દ્વારા ૧૬ વર્ષની સાક્ષીની હત્યાને ‘પૂર્વ આયોજિત’ અને ‘પૂર્વ નિયોજિત બદલા’ તરીકે ગણાવતા દિલ્હી પોસીસે આ કેસમાં ૬૪૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ૨૮ મેના રોજ ઉત્તર-પશ્ચિમ દિલ્હીની શાહબાદ ડેરીમાં સાહિલે સાક્ષીને ૨૨ વખત છરીના ઘા માર્યા હતા. પોલીસે સોમવારે તેનો રિપોર્ટ દાખલ કર્યો હતો. આગામી સુનાવણી પહેલી જુલાઈએ થવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા મેળવવામાં આવેલા સાક્ષીના નખની અંદરની ચામડીનો ટુકડો અને ડીએનએ ટેસ્ટથી પુષ્ટિ થઈ હતી કે, તે સાહિલનો હતો, જે શંકા વગર તેને દોષિત જાહેર કરતો હતો. વધુમાં, સાક્ષી અને સાહિલ વચ્ચેના કોલ રેકોર્ડિંગના વોઈસ સેમ્પલ પણ મેચ થઈ રહ્યા છે,…
હાલ દરેક વ્યક્તિને મોંઘવારીની ચિંતા સતાવી રહી છે. જીવન જરૂરિયાતી વસ્તુઓના સતત વધતા ભાવથી લોકોને ડર લાગી રહ્યો છે. ભાવ ઉંચેને ઉંચે જઈ રહ્યા છે, પણ નીચે ઉતરતા નથી. આવામાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની ફરીથી ચર્ચા ઉઠી છે. ૧ જુલાઈથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની ડીલર વર્તુળોમાં જાેરદાર ચર્ચા ચાલી રહ્યાં છે. આ ચર્ચાથી નાગરિકો ગેલમાં આવી ગયા છે. વાત એમ છે કે, ક્રુડના ભાવ સતત નીચે ઉતરી રહ્યાં છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટે તે માટે સતત દબાણ વધી રહ્યું છે. ત્યારે ચર્ચા ઉઠી છે કે, ૧ જુલાઈથી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કરે તેવી પૂરતી શક્યતા છે.…
ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી ધોરણ ૧૦માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ મેળવી શક્તા નહીં અને તે ક્લાસિસ કે જાતે તૈયારી કરીને નાપાસ થયેલા વિષયોની પરીક્ષા આપતા હતા. પરંતુ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ૧૯૭૪માં ફેરફાર કરાયો છે. હવે ધોરણ ૧૦માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા બાદ વિદ્યાર્થી એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ૧૯૭૪માં ફેરફાર કરાયો. વિદ્યાર્થીએ ધોરણ ૧૦ની જે શાળામાંથી નિયમિત વિદ્યાર્થી…
રાજ્યમાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની એ.પી.એમ.સી.માં વેચાણ કરતા ખેડૂતોને પ્રતિ કિલો બે રૂપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી ર્નિણય કર્યો હતો.આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી ર્નિણય કર્યો છે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યુ કે, આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. ૧૪ ફેબ્રુઆરીથી ૦૬ માર્ચ, ૨૦૨૩ સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી.માં વેચાણ કર્યું હોય તેવા ખેડૂતોને…