Author: Shukhabar Desk

શહેરમાં રહેતી એક પરણિતાએ તેના સાસરિયાઓ અને ભુવાજી સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ આ મહિલાનો પતિ તેને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને સાળીને અડપલા કરી તેની સાથે અશોભનીય હરકતો કરતો હતો. એટલું જ નહીં, અવારનવાર પત્નીને ભુવા પાસે લઈ જતા ભુવાજી આ પરિણીતાને લાફા મારતો હતો. આ સમગ્ર બાબતોથી કંટાળીને પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા ટ્યુશન ક્લાસિસ ચલાવે છે. વર્ષ ૨૦૧૩માં વડોદરા ખાતે તેના લગ્ન થયા હતા. વર્ષ ૨૦૧૬માં મહિલાના પતિએ મકાનની લીધેલી લોન ના હપ્તા ભરવા માટે સસરા પાસેથી રૂપિયા લઈ આવવાનું…

Read More

રાત્રે ટાયરોનો તેજ અવાજ અને એન્જિનોના અવાજે અમદાવાદીઓ માટે સતત ચિંતા અને હેરાનગતિનું કારણ બને છે. રાહદારીઓ અને સાથી ડ્રાઈવરોના જીવનને જાેખમમાં મૂકતા સ્પીડ બ્રેકરના વધતા જતા જાેખમના કારણે છેલ્લાં એક મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદમાં વધારો થયો છે. શહેરના નાગરિકો એએમસીને શેરીઓમાં સ્પીડ બ્રેકર ઈન્સ્ટોલ કરવા માટે સખત અરજી કરી રહ્યા છે. એવી આશા છે કે, આનાથી એડ્રેનાલિનના નશાખોરોની હરકતો પર કાબૂ મેળવશે. કોર્પોરેશનના જણઆવ્યા મુજબ, માત્ર જૂન ૨૦૨૩માં સ્પીડ બ્રેકર્સ માટે ૯૩ અરજીઓ મળી હતી. દિવસ દીઠ ત્રણ અરજીઓ કહી શકાય. જેના સરખામણીમાં ૧૭ વર્ષમાં ૮૯૨ અરજીઓ આવી છે. જે એક મહિનામાં ચાર ગણાવી શકાય. ૮૯૨ અરજીઓમાંથી ૧૮૦…

Read More

શિફ્ટ પૂરી થઈ ગયા પછી કામ નહીં થાય એમ કહીને રાજકોટ એરપોર્ટ પર પાયલટે હોબાળો કરી દીધો હતો. રાજકોટથી દિલ્હી જતી એક ફ્લાઈટમાં પાયલટે ભારે હંગામો કર્યો હતો જેમાં તેણે રવિવારે રાત્રે દિલ્હી જતી ફ્લાઈટમાં કહ્યું કે મારી શિફ્ટ તો હવે પૂરી થઈ ગઈ છે. હવે દિલ્હીથી પાયલટ આવશે પછી જ તમારુ કઈ થઈ શકશે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે અહીં આ ફ્લાઈટમાં ૧૦૦ મુસાફરો સહિત ૩ સાંસદો પણ અટવાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. હવે આ તમામ હોબાળા પછી શું થયું એના પર નજર કરીએ. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ ફ્લાઈટમાં ૩ સાંસદ પણ મુસાફરી કરી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો…

Read More

ગીર સોમનાથના વેરાવળ ના વડોદરા-ડોડીયા ગામમાં જંગલમાં લાકડા વીણવા ગયેલી મહિલા લાપતા બની છે. ગઈકાલે બપોરે ૧૨ વગ્યા આસપાસ ઘટના બની હતી. પાંચેક મહિલાઓ સાથે લાકડા વીણવા ગઈ હતી, જંગલમાં સિંહોને જાેઈ મહિલાઓ જંગલ છોડી ભાગી હતી. જે પૈકી ૪૦ વર્ષીય ભાનુબેન આંબેચડા નામની મહિલા લાપતા બની હતી. જેને સિંહો દ્વારા ફાડીખાડાની આશંકા છે. વન વિભાગ અને પોલીસની ટીમો દ્વારા જંગલમાં શોધખોળ ચાલુ છે. પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જંગલમાં ૧૫ જેટલા સિંહ પરિવારનો વસવાટ છે. ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની અંદર સિંહનો વસવાટ વધારે છે. આ વિસ્તારની અંદર અવારનવાર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે…

Read More

કુદરતી આફતનો કહેર એ કોઈપણ શહેર માટે મોટી મુસીબત લાવતો હોય છે. પરંતુ આ આફતની વચ્ચે નિઃસહાય અને ફસાયેલા લોકોની મદદ કરવી એ દરેકની ફરજ છે. આવા સંજાેગોમાં દરેક જણ ઓછા વત્તા અંશે લોકોની મદદ કરતા હોય છે. ત્યારે નવસારીમાં પૂર જેવી પરિસ્થિતિમાં શાળાએથી છૂટેલા બાળકોના મદદે નવસારી પોલીસ આવી હતી. નવસારીમાં દે માર વરસાદને કારણે જેપુર જેવી પરિસ્થિતિ સર્જાયા હતી. મહત્વનું છે કે આ પૂર જેવી સ્થિતિની સંભાવના પહેલા તંત્ર દ્વારા આગોતરી જાણ ને પગલે શાળાઓમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ શાળાઓથી જેવી રજા પડી અને બાળકો ઘરે પહોંચવાના હતા. એટલામાં જ જાેરદાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદમાં નવસારી…

Read More

રાજકોટ જિલ્લામાં શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે કેટલાક ભાગોમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સૌરાષ્ટ્રમાં શનિવારે ખાબકેલા ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા, આવામાં રાજકોટના કોટડા સાંગાણીના કરમણ પીપળીયા ગામમાં ૨૫ લોકો ફસાયા હોવાની માહિતી મળતા દ્ગડ્ઢઇહ્લની ટીમ પહોંચી હતી. ટીમે તાત્કાલિક મહત્વના પગલાં ભરીને પાણીની વચ્ચે ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ગોંડલ પાસેના કોટડા સાંગાણી તાલુકાના કરમણ પીપળીયા ગામમાં ૨૫ લોકો ફસાયા હતા. આ વાતની સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી, જે બાદ ગોંડલ પ્રાંત અધિકારી અને દ્ગડ્ઢઇહ્લની ટીમ કરમણ પીપળીયા ગામે દોડી ગઈ હતી. પાણીમાં ફસાયેલા લોકોનું ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદના…

Read More

હજી થોડા દિવસ પહેલા ઇસ્કોન બ્રિજ પર નબીરાએ મોંઘીદાટ કારથી સામાન્ય લોકોને કચડીને ૧૦ લોકોના જીવ લીધાના અકસ્માતના ઘા રૂઝાયા નથી અને શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્‌યો છે. મણિનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે બેફામ કાર ચલાવીને બાંકડા સાથે અથાડી હતી. જેના કારણે આખી કાર ઊંધી થઇ ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ કારમાં ચારથી પાંચ લોકો પણ હોવાનું સામે આવ્યુ છે. જાેકે, કારમાંથી બિયરની બોટલો મળી આવી છે. હાલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, મણિનગર વિસ્તારમાં રવિવારે મોડી રાતે રાજકમલ બેકરી પાસે એક કાર પૂરપાટ સ્પીડમાં…

Read More

ઉત્તર પ્રદેશના શામલીમાં ૨૩ વર્ષ પહેલાં ૨૦૦૦માં એક પિતાએ જમીનના વિવાદમાં ક્રોસ કેસ દાખલ કરાવવાના ચક્કરમાં પોતાની જ ત્રણ મહિનાની દીકરીની હત્યા કરી નાખી હતી. મુઝફ્ફરનગરની કોર્ટે આરોપી પિતાને દોષિત ઠેરવતા આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ સિવાય બાળકીની માતા સહિત બંને પક્ષોના આઠ લોકોને એક વર્ષની સજા ફટકારી છે. એક જમીનના ટુકડા માટે અને પોતાના પાડોશીને ફસાવવા માટે આ હત્યા થઈ હતી. ૨૩ વર્ષ પહેલાં જાેરદાર લાકડીઓ પણ ઉડી હતી અને ગોળીબાર પણ થયો હતો. પિતાએ પોતાની જ સગી દીકરીને ગોળી મારી દીધી હતી. ત્યારે આ કેસમાં આરોપી પિતાને આજીવન કેદની સજા મળી છે. વકીલ વીરેન્દ્ર નાગરે જણાવ્યું કે,…

Read More

અમેરિકાની ઈમિગ્રેશન કોર્ટમાં કેસનો એટલો બધો ભરાવો થયો છે કે તેના નિકાલમાં વર્ષો નીકળી જાય છે. તેના કારણે શરણાર્થી હોવાનું બહાનું કાઢીને અમેરિકા પહોંચેલા ઘણા લોકોને ફાયદો થઈ ગયો છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો શરણાર્થી તરીકે અમેરિકા આવે છે. કારણ કે તેમને ખબર છે કે અમેરિકન સિસ્ટમ એટલી ધીમી છે કે તેમના કેસનો નિકાલ થવામાં વર્ષો નીકળી જશે. આ દરમિયાન તેમને અમેરિકામાં લીગલી કામ કરવાની છુટ મળે છે અને ડિપોર્ટ થવાનો પણ ખતરો રહેતો નથી. આ રીતે અમેરિકામાં શરણની માંગણી કરનારામાં ભારતીયો પણ સામેલ છે. અમેરિકામાં એટલા બધા શરણાર્થીઓ આવેલા છે કે ૬૫૦ ઇમિગ્રેશન જજ માટે તેમના કેસનો નિકાલ…

Read More

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પણ ખૂબ જ લોકપ્રિય છે અને સોશિયલ મીડિયા પર સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે. પલકે તાજેતરમાં જ સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. માત્ર ૨૨ વર્ષની પલકની ફેન ફોલોઈંગ ઘણી મોટી છે. પલક પણ તેની માતા શ્વેતા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. જાેકે, અભિનેત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેની માતા શ્વેતા તિવારી તેને ડેટિંગથી રોકવા માટે ઘણી અને જુદી જુદી યુક્તિઓ અપનાવે છે. બૉલીવુડ બબલ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં પલક તિવારીએ તેના બાળપણના ઘણા કિસ્સાઓ વિશે વાત કરી હતી અને કેટલીક…

Read More