Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»અમિતાભ બચ્ચનની અયોધ્યામાં ઘર બનાવવાની ઈચ્છા, પ્લોટ ખરીદ્યો
    India

    અમિતાભ બચ્ચનની અયોધ્યામાં ઘર બનાવવાની ઈચ્છા, પ્લોટ ખરીદ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJanuary 15, 2024No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમિતાભ બચ્ચન રામનગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે. આ માટે તેમણે મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ અંગે હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી આ જગ્યા કેટલી મોટી છે અને તેની કિંમત કેટલી છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે અમિતાભ બચ્ચન ત્યાં ૧૦,૦૦૦ સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેની કિંમત રૂ. ૧૪.૫ કરોડ છે.

    ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ સાથે સરયુ એન્ક્‌લેવનું પણ લોકાર્પણ થશે. કહેવામાં આવી રહ્યું છે કે તે ૫૧ એકરમાં ફેલાયેલું છે. આ પ્રોજેક્ટમાં રોકાણ અંગે અમિતાભ બચ્ચને એક મીડિયા હાઉસને જણાવ્યું હતુ કે, ‘હું અયોધ્યામાં ધ સરયૂમાં, ધ હાઉસ ઓફ અભિનિંદ લોઢા સાથે ઘર બનાવવા માટે ઉત્સાહિત છું. આ શહેરનું મારા હૃદયમાં વિશેષ સ્થાન છે. અયોધ્યાની આધ્યાત્મિકતા અને સંસ્કૃતિએ તેની ભૌગોલિક સીમાઓ કરતા એક ભાવનાત્મક બંધન બનાવ્યું છે. ત્યાં પરંપરા અને આધુનિકતા સાથે રહે છે.

    તેમજ હું આ ગ્લોબલ સ્પિરિચ્યુઅલ કેપિટલમાં મારું ઘર બનાવવા માટે ઉત્સુક છું.અમિતાભ બચ્ચનનું જન્મસ્થળ અલ્હાબાદ છે. નેશનલ હાઈવે ૩૩૦ થી અયોધ્યાનું અંતર ૪ કલાકનું છે. આ પ્લોટ રામ મંદિરથી ૧૫ મિનિટ દૂર છે. અયોધ્યા એરપોર્ટથી તેનું અંતર ૩૦ મિનિટનું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય: 5 કેન્દ્રીય એજન્સીઓમાં ડેપ્યુટેશનનો સમયગાળો વધારીને 7 વર્ષ કરાયો

      August 13, 2026

      ફ્રાન્સનો ઐતિહાસિક નિર્ણય: હવે સંમતિ વગર અનિચ્છનીય ટેલિમાર્કેટિંગ અને સ્પૅમ કોલ્સ પર પ્રતિબંધ

      August 12, 2026

      ટીબી મુક્ત ભારત: કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં કર્ણાટક અને કેરળના સાંસદોની મહત્ત્વપૂર્ણ બેઠક

      August 11, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.