Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»તમામ પ્રયાસ છતાં મણિપુરમાં અવિરત હિંસા મણિપુરમાં બે સ્થળે ગોળીબારમાં બેનાં મોત, હાઈવે પર શટડાઉન
    India

    તમામ પ્રયાસ છતાં મણિપુરમાં અવિરત હિંસા મણિપુરમાં બે સ્થળે ગોળીબારમાં બેનાં મોત, હાઈવે પર શટડાઉન

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મણિપુરમાં તમામ પ્રયાસો છતાં હજુ હિંસા શમવાનું નામ નથી લઈ રહી. રવિવારે રાતે પણ બે જગ્યાએ ગોળીબાર થયો હતો જેમાં ઓછામાં ઓછાં ૨ લોકો મૃત્યુ પામી ગયા. ફાયરિંગની પ્રથમ ઘટના ફેલેંગ ગામમાં બની જ્યારે બીજી કાંગપોકલીના થાંગબુહ ગામમાં બની હતી. એક મૃતકની ઓળખ ૩૪ વર્ષના જાંગખોલુમ હાઓકિપ તરીકે થઇ હતી. આ ઉપરાંત ૧૬ જુલાઈએ જ કમિટી ઓન ટ્રાયબલ યુનિટીએ નેશનલ હાઈવે – ૨ પર ૭૨ કલાકના શટાડાઉનની જાહેરાત કરી હતી.

    મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનાઓ બાદ સંગઠને શટડાઉનની જાહેરાત કરી હતી. સીઓટીયુના મહાસચિવ લામ્મિનલુન સિંગસિતે કહ્યું કે ૧૬ જુલાઈની મધ્યરાત્રિથી શટડાઉન લાગુ કરાયું છે. સતત થઈ રહેલા હુમલા અને હત્યાને જાેતાં આ ર્નિણય લેવાયો હતો. તેમણે કહ્યું કે નિર્દોષ કૂકી સમુદાયના લોકોની હત્યા કરાઇ છે. તેમનો આરોપ છે કે હૈકી મ્યાનમારથી ઘૂસણખોરી થાય છે અને તે કટ્ટરપંથીઓ સાથે મળીને હુમલા કરે છે.
    ઉલ્લેખનીય છે કે શનિવારે પણ હિંસા થઈ હતી જેમાં એક આધેડ મહિલાઓને ગોળી મારી દેવામાં આવી હતી. ઈમ્ફાલ ઈસ્ટમાં ગોળીબારની ઘટનામાં તે મૃત્યુ પામી હતી. હુમલાખોરોએ મહિલાની હત્યા બાદ તેનો ચહેરો કચડી નાખ્યો હતો. રવિવારે મણિપુર યુનાઇટેડ નાગા કાઉન્સિલે નાગા વિસ્તારોમાં ૧૨ કલાકના બંધની જાહેરાત કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Electricity Futures: બજારમાં નક્કી થશે વીજળીના ભાવ! NSE 11 જુલાઈથી લાવશે ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’, જાણો કેવી રીતે થશે ફાયદો

    June 28, 2025

    Shubhanshu Shukla ISS Mission: શુભાંશુ શુક્લાનો અંતરિક્ષ પ્રવાસ: ISS પહોંચવાનું ટાઈમ, મિશનની અવધિ અને સફળતાની ખાસ વાતો

    June 25, 2025

    DGCA Action on Air India: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCA નું કડક પગલું

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.