Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»આંતરરાષ્ટ્રીય શાંતિ-સ્થિરતા સામેના જાેખમની ચિંતા એઆઈના ખતરા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ પ્રથમ બેઠક યોજી
    WORLD

    આંતરરાષ્ટ્રીય શાંતિ-સ્થિરતા સામેના જાેખમની ચિંતા એઆઈના ખતરા અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ પ્રથમ બેઠક યોજી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદએ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે એઆઈ દ્વારા ઊભા થયેલા ખતરા અંગે પ્રથમ બેઠક યોજી હતી, જેમાં યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે એઆઈના ઉપયોગને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની રચના કરવાની પહેલ કરી અને વધુમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૬ સુધીમાં યુદ્ધના સ્વચાલિત હથિયારોમાં એઆઈના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે કાયદાકીય કરાર કરવા જાેઈએ. ગુટેરેસે કહ્યું કે ટેક્નોલોજી તેના સંભવિત જાેખમો અને ફાયદાઓને વધુને વધુ જાહેર કરે છે અને યુએન પાસે મોનિટરિંગ અને નિયમન માટે વૈશ્વિક સ્તરે નિયમો નક્કી કરવાની તક છે. તેમણે ટ્‌વીટ કર્યુ હતું કે આજે મેં સુરક્ષા પરિષદ પાસે એઆઈને તાકીદની ભાવના, વૈશ્વિક દૃષ્ટિકોણ અને શીખવાની માનસિકતા સાથે અપનાવવા વિનંતી કરી હતી. આપણે એઆઈ સિસ્ટમની પારદર્શિતા, જવાબદારી અને દેખરેખ માટેના સામાન્ય પગલાં તરફ સાથે મળીને કામ કરવું જાેઈએ.

    રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બહુમતી દૃષ્ટિકોણથી અલગ થઈને શંકા વ્યક્ત કરી કે એઆઈના જાેખમો વિશે પૂરતી માહિતી છે, જે તેને વૈશ્વિક અસ્થિરતાના જાેખમોના સ્ત્રોતના રુપે પ્રકાશિત કરે છે. તો બીજી તરફ ચીનના રાજદૂતે કહ્યું કે એઆઈ સંબંધિત આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ધોરણો નરમ હોવા જાેઈએ જેથી દેશોને તેમના પોતાના રાષ્ટ્રીય સ્તરના નિયમો નક્કી કરવાની સ્વતંત્રતા મળે. યુએન સેક્રેટરી જનરલે એઆઈ નિયમોને નિયંત્રિત કરવા, દેખરેખ કરવા અને અમલ કરવા માટે એક ગવર્નિંગ બોડી તરીકે યુએન દેખરેખ સંસ્થાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો, જે રીતે અન્ય એજન્સીઓ ઉડ્ડયન, આબોહવા અને પરમાણુ ઊર્જાની દેખરેખ રાખે છે.જાે કે એઆઈને કેવી રીતે નિયંત્રિત કરવું તે અંગે કાયદાકીય રીતે બંધનકર્તા પ્રસ્તાવની સંભાવના હજુ દૂર છે, પરંતુ મોટાભાગના રાજદ્વારીઓએ વૈશ્વિક શાસન પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય નિયમોની કલ્પનાને સમર્થન આપ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Turkiye દેશના લોકો ચાને પાણીની જેમ પીવે છે

    May 20, 2025

    China Government: આર્થિક સહાયના નામે પાકિસ્તાન પર ખર્ચ કરીને ચીન પોતાના જ ખજાનાને કરી રહ્યો છે ખાલી

    May 20, 2025

    Anwar Bin Ibrahim PM Narendra Modi Friendship: ઇજાને લઈને આ મુસ્લિમ દેશમાં કર્યું મોટું એલાન

    May 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.