Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»નવા સંસદભવનમાં પ્રવેશ પહેલાં બંધારણની નવી નકલો અપાઈ બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ગાયબ
    India

    નવા સંસદભવનમાં પ્રવેશ પહેલાં બંધારણની નવી નકલો અપાઈ બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો ગાયબ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આજે મોટો દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં પ્રવેશતાં પહેલા સાંસદ સભ્યોને સોંપાયેલી બંધારણ ની નવી નકલોની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો હતા જ નહીં. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની નવી નકલો જે અમને ૧૯ સપ્ટેમ્બરે અપાઈ હતી તેની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને બિનસાંપ્રદાયિક’ શબ્દો નહોતા. અમે આ નકલો અમારા હાથમાં લઈને સંસદમાં પ્રવેશ્યા હતા. અમે જાણીએ છીએ કે આ શબ્દો વર્ષ ૧૯૭૬માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જાે આજે કોઈ આપણને બંધારણ આપે છે અને આ શબ્દો તેમાં સામેલ નથી, તો તે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે સરકારના ઈરાદા પર શંકાસ્પદ છે. આ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મને આ મુદ્દો ઉઠાવવાની તક મળી ન હતી. ઉલ્લેખનીય છે કે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી દરમિયાન ૧૯૭૬માં બંધારણના ૪૨મા સુધારાના ભાગરૂપે પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘સેક્યુલર’ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian Railway: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટું એલાન: જમ્મુ-ઉધમપુરથી દિલ્હી સુધી તાત્કાલિક 3 સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે

    May 9, 2025

    ICAI CA Exam 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે CA પરીક્ષા મુલતવી રાખવામાં આવી, icai.org પર સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સ જુઓ

    May 9, 2025

    Delhi Alert: ભારત-પાક તણાવ બાદ દિલ્હી એલર્ટ પર, લાલ કિલ્લો અને કૂતૂબ મિનાર સહિત ઐતિહાસિક સ્થળોની સુરક્ષા ચુસ્ત

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.