Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પરિવારનો માળો વિખેરાયો દુર્ગાષ્ટમીની રાતે વાહન પાર્કિંગ મુદ્દે થયેલી બબાલમાં બે ભાઈઓની હત્યા
    Gujarat

    પરિવારનો માળો વિખેરાયો દુર્ગાષ્ટમીની રાતે વાહન પાર્કિંગ મુદ્દે થયેલી બબાલમાં બે ભાઈઓની હત્યા

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરતના અમરોલી વિસ્તારમાં ગરબા બાબતે ઝઘડો થતા સગા બે ભાઈઓની હત્યા કરી દેવામાં આવી છે. કોસાડ આવાસ ખાતે શેરીમાં ગરબા ચાલુ રહ્યા હતા ત્યારે પાર્કિંગને લઈને ત્યાં જ ત્રણ ઈસમો જાેડે બોલાચાલી થઈ હતી. ઝગડા બાદ ફરી ત્રણ ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને રાહુલ નામના યુવક બંને ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો કરી ઘા ઝીંકી હત્યા ફરાર થઈ ગયા હતા.

    સુરતના અમરોલી આવાસમાં સુખલાલ પિંપળે તેના બે પુત્ર પુત્રવધુ અને પૌત્ર સાથે રહે છે. ત્યારે ગત મોડી રાત્રે સુખલાલ પીપળીનો આખો પરિવારનો માળો એકઝાટકે વિખેરાઈ ગયો હતો. તેના બંને જુવાનજ્યોત દીકરાના એક જ સાથે મોત થતા પિતા આઘાતમાં મુકાઈ ગયા હતા. ઘટનામાં ૨૮ વર્ષીય મોટો દીકરો રાહુલ પીપળેના પરિવારમાં પત્ની અને એક નાનો પુત્ર છે. તે પિતાની સાથે મોચી કામ કરે છે. જ્યારે ૨૩ વર્ષીય પ્રવીણ પીપળે હીરાની કંપનીમાં નોકરી કરતો હતો. આ પરિવાર મૂળ મહારાષ્ટ્રના બુલદાનાના વતની છે અને વર્ષોથી સુરતમાં અમરોલી વિસ્તારના આવાસમાં સાથે રહે છે.

    ગઈકાલે મહાઅષ્ટમીની રાતે સુરતમાં સગા બે ભાઈની હત્યાનો બનાવ સામે આવ્યો છે. બન્ને ભાઈ ગરબે રમતા હતા ત્યારે કેટલાક શખસો આવ્યા હતા અને ગાડી હટાવવાનું કહેતા મામલો બિચક્યો હતો અને ઝઘડો થયો હતો. બાદમાં બન્ને ભાઈને ૩ શખસે છરીથી રહેંસી નાખ્યા હતા. આ ઘટનામાં મોટાભાઈને બચાવવા જતા નાના ભાઈની પણ હત્યા કરી દેવામાં આવી હતી. રાહુલ પીપળે સાથે કેટલાક યુવકો ઝઘડો કરતા હતા, ત્યારે આ દરમિયાન તેનો નાનો ભાઈ પ્રવીણ પણ વચ્ચે પડ્યો હતો. અને મોટાભાઈ સાથે ઝઘડો કરનાર યુવકો સાથે માથાકૂટ કરી હતી. જેને લઇ હુમલાખોરોએ તીક્ષણ હથિયાર વડે બંને સગા ભાઈ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બાદમાં બન્ને ભાઈને હોસ્પિટલ ખસેડાયા હતા. જાેકે બન્નેનાં મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે ૩ શખસની અટકાયત કરી લીધી છે. મૃતકના પરિવારો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.