Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»ભારે વરસાદ-ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક ૫૯એ પહોંચ્યો હિમાચલ પ્રદેશ ઃ શિમલામાં વધુ ત્રણ લોકોનાં મોત
    India

    ભારે વરસાદ-ભૂસ્ખલન બાદ મૃત્યુઆંક ૫૯એ પહોંચ્યો હિમાચલ પ્રદેશ ઃ શિમલામાં વધુ ત્રણ લોકોનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ અહીં ઠેર ઠેર પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ છે. ત્યારે મંગળવારે અહીં મૃત્યુઆંક ૫૯ને પાર પહોંચ્યો હતો. વાદળ ફાટવાના કારણે પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક લોકો હજુ કાટમાળ નીચે દટાયેલા છે. રાજ્યમાં વાદળ ફાટવાના કારણે મંડી અને શિમલા જિલ્લામાં સૌથી વધુ ૨૩ અને ૧૯ મોત થયા છે. તો રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન શિમલાના સમર હિલ વિસ્તારમાંથી વધુ ત્રણ ડેડબોડી મળી આવી છે. ત્રણ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મંગળવારે મૃત્યુઆંક ૫૯એ પહોંચ્યો છે. અનેક લોકો હજુ કાટમાળ નીચે ફસાયેલા છે. મંડી અને શિમલામાં સ્થિતિ વણસી છે. અનેક રસ્તાઓ બંધ છે. તો આ પહેલાં ભૂસ્ખલન આવતા શિવ બાવડી મંદિર તબાહ થયુ હતુ અને અનેક લોકો તેની નીચે દટાયા હતા. જે બાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ૧૨ ડેડબોડી બહાર કાઢવામાં આવી હતી. શિમલા અને અન્ય જગ્યાઓએ ભૂસ્ખલન થઈ રહ્યાં છે અને પરિસ્થિતિ વણસેલી છે. મંગળવારે વધુ એક ભૂસ્ખલન ક્રિષ્ના નગરમાં થયું હતું. આ વિસ્તારમાં આવેલું મ્યુનિસિપલ કોર્પોરેશનનું કતલખાનું ધ્વસ્ત થયું હતું.

    આસપાસના કેટલાંક મકાનો પણ ધરાશાયી થયા હતા અને કેટલાંક લોકો દટાયા હતા. એ પછી બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારથી અહીં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે નદીઓમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં પણ વધારો થયો છે. NDRF, SDRF સ્ટેટ પોલીસ,ITBP અને છદ્બિઅ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને રાત્રે બચાવકાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે કેટલાંક વિસ્તારોમાં વીજળી પણ નથી. તો બુધવારે પણ આખા રાજ્યમાં સ્કૂલો અને કોલેજાે બંધ રાખવામા આવી હતી. આ ચોમાસામાં હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની વિવિધ ૧૭૦ ઘટનાઓ બની ચૂકી છે. આ સ્થિતિમાં હિમાચલ પ્રદેશમાં લગભગ ૯૬૦૦ મકાનો ભારે નુકસાન પહોંચ્યું છે. સોલન, શિમલા, મંડી, હમીરપુર અને કાંગરામાં સૌથી વધુ નુકસાન થયું છે. તો ડેમમાંથી અચાનક પાણી છોડવામાં આવતા ૫૦૦થી પણ વધુ લોકો ફસાયા હતા. મંડી અને બલદ્વારામાં પાંચ મકાનો ધરાશાયી છે. ૪૦૦ જેટલાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ઉત્તર-પશ્ચિમ બંગાળમાં ઉપર તરફ લો પ્રેશર ઝોન સર્જાયું ઓડિશા, ઝારખંડ, યુપી-બિહારમાં ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા

    September 21, 2023

    આરટીઆઈના જવાબમાં રેવેએ માહિતી આપી બાળકો માટેના નિયમમાં સુધારાથી ૭ વર્ષમાં રેલવેને ૨૮૦૦ કરોડની વધારાની કમાણી

    September 21, 2023

    બેંગલુરુના બાયોલોજિકલ પાર્કમાં ચેપી વાયરસની ઘટના બેંગલુરુના બાયોલોજિકલ પાર્કમાં સાત દીપડાનાં બચ્ચાનાં મોત

    September 21, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version