શૈક્ષણિક સંકલન સમિતિનો આરોપ છે કે તત્કાલિન શિક્ષણ મંત્રીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની કાયમી ભરતી કરવા, બિન શૈક્ષણિક કર્મચારીઓ પટાવાળા અને ક્લાર્કની ભરતી કરવા સહિતની માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી પરંતુ જે-તે સમયે ખાતરી બાદ હવે તેનો અમલ કરવામાં આવી રહ્યો નથી. જેના કારણે છેલ્લા બે મહિનાથી શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ ૨૬,૫૦૦ શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે ૧૫,૦૦૦ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૧૧,૫૦૦ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત ૫૦૭૫ ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને ૨૧૦૦૦ ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક ક૨વાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે ર્નિણય ક૨વામાં આવેલ છે.રાજ્યની સ૨કારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે ર્નિણય ક૨વામાં આવેલ છે. આ માટે પ્રાથમિક શાળાઓમાં ૧૫૦૦૦ અને માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે ૧૧૫૦૦ જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂંક ક૨વામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને ૨૧૦૦૦ માધ્યમક વિભાગ માટે ૨૪૦૦૦ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે રૂપિયા ૨૬૦૦૦ ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.