Credit Card
Credit Card યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. હવેથી, તેમને ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણીમાં વિલંબ પર 36-50 ટકા વ્યાજ ચૂકવવું પડી શકે છે. સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC) ના 2008ના નિર્ણયને બાજુ પર રાખ્યો છે, જેણે ક્રેડિટ કાર્ડની વિલંબિત ચુકવણી ફી માટે મહત્તમ 30 ટકા વ્યાજ નક્કી કર્યું હતું. હવે આ નિર્ણય બાદ બેંકોને ક્રેડિટ કાર્ડની લેટ પેમેન્ટ ફી પર 30 ટકા એટલે કે 36-50 ટકાથી વધુ વ્યાજ વસૂલવાની છૂટ આપવામાં આવી છે.
NCDRCએ 2008માં તેના નિર્ણયમાં કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડ યુઝર્સ પાસેથી વાર્ષિક 36-50 ટકા વ્યાજ વસૂલવું અતિશય હતું અને તેને અયોગ્ય વેપાર પ્રથા ગણાવ્યું હતું. આ પછી, લેટ પેમેન્ટ પર વ્યાજની મર્યાદા 30 ટકા નક્કી કરવામાં આવી હતી. NCDRCના આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે, જેનાથી બેંકોને રાહત મળી છે.
ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટમાં વિલંબ કરનારા ગ્રાહકો માટે આ મોટો ફટકો છે. હવે બેંકોને આવા ગ્રાહકો પાસેથી લેટ પેમેન્ટ ફી તરીકે 36-50 ટકા વ્યાજ વસૂલવાની છૂટ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે 20 ડિસેમ્બરે આ આદેશ જારી કર્યો છે અને આ નિર્ણય જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે આપ્યો છે.સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પાછળ 16 વર્ષ જૂનો કેસ ટાંકવામાં આવી શકે છે. NCDRC, તેના 7 જુલાઈ, 2008ના નિર્ણયમાં જણાવ્યું હતું કે નિયત તારીખ સુધીમાં ચુકવણી ન કરવા બદલ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ પાસેથી 30 ટકાથી વધુ વ્યાજ વસૂલવામાં આવશે નહીં. HSBC, સિટી બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્જ બેંક જેવી ઘણી બેંકોએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હવે 20 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે બેંકોની તરફેણમાં ચુકાદો આપ્યો છે.