Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»dhrm bhakti»Sawan Amavasya 2025: શ્રાવણ અમાવસ્યા પર આ વસ્તુઓનું દાન કરો
    dhrm bhakti

    Sawan Amavasya 2025: શ્રાવણ અમાવસ્યા પર આ વસ્તુઓનું દાન કરો

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 24, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Sawan Amavasya 2025: શ્રાવણ અમાવસ્યાના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે.

    Sawan Amavasya 2025: શ્રાવણ અમાવસ્યા 24 જુલાઈ 2025 ના રોજ છે. આ દિવસ પૂર્વજોની પૂજા, તર્પણ, પવિત્ર નદીમાં સ્નાન અને દાન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે.

    Sawan Amavasya 2025: હિંદુ ધર્મમાં અમાવસ્યા તિથિ પિતરો માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ અને દાન વગેરે માટે સમર્પિત હોય છે. આ દિવસે પિતરોની આત્માની શાંતી માટે પૂજા અને વિવિધ ઉપાય કરવામાં આવે છે.

    આ વર્ષે શ્રાવણ અમાવસ્યા ગુરુવાર, ૨૪ જુલાઈ ૨૦૨૫ ના રોજ છે. તેને હરિયાળી અમાવસ્યા અને શ્રાવણી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. પિતરોને પ્રસન્ન કરવા, પિતરોનો આશીર્વાદ મેળવવા અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ અમાવસ્યાના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

    Sawan Amavasya 2025

    કુંડળીમાં પિતૃદોષ હોય તો તેના ઉપાય માટે શ્રાવણ અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરો અને ત્યારબાદ પિતરોનું તર્પણ કરો. પૂજા અને તર્પણ પછી ગરીબ-જરૂરમંદ લોકોમાં કાળા તલ, પોહા, દહીં, ખાંડ, ચોખા, મીઠું વગેરેનું દાન તમારી ક્ષમતાનુસાર કરો.
    • પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ અમાવસ્યાના દિવસે છત્રી, જૂતાં-ચપ્પલ, ધાબળો, આખા અડદ વગેરેનું દાન પણ કરી શકાય છે. આ દાનથી પણ નારાજ પિતૃ પ્રસન્ન થાય છે.
    • શ્રાવણ અમાવસ્યાના દિવસે તમે કોઈ બ્રાહ્મણને સફેદ વસ્તુઓ જેમ કે લોટ, ચોખા, ખાંડ, મીઠું, દૂધ-દહીં વગેરેનું દાન કરો. આ દાનથી કુંડળીમાં અશુભ ગ્રહોનો પ્રભાવ ઘટે છે.
    • માન્યતા છે કે, શ્રાવણ અમાવસ્યાના દિવસે કરાયેલ પિંડદાન, તર્પણ, પૂજા અને દાન-પુણ્યથી પૂર્વજોનો આશીર્વાદ મળતો હોય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જ્યારે પિતૃ પ્રસન્ન હોય તો વંશવૃદ્ધિ પણ થાય છે.

    Sawan Amavasya 2025

    Sawan Amavasya 2025
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Raksha Bandhan 2025: રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત અને તારીખ જાણો

      July 29, 2025

      Budh Pradosh Vrat 2025: દુર્લભ સંયોગમાં શ્રાવણનો છેલ્લો પ્રદોષ

      July 29, 2025

      Ekadashi in August 2025: ઓગસ્ટમાં એકાદશી ક્યારે આવશે, તારીખ નોંધો

      July 29, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.