Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી ૨૫ લાખની ખંડણી કેસમાં મહેસાણાના બેની ધરપકડ
    Gujarat

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ત્વરિત કાર્યવાહી ૨૫ લાખની ખંડણી કેસમાં મહેસાણાના બેની ધરપકડ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૨૫ લાખની ખંડણી અને અપહરણ કરવાના કેસમાં મહેસાણાના ૨ શખસની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી મહેસાણાના વ્યક્તિનું અપહરણ કરી પરિવાર પાસે ૨૫ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ આ મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જાેકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર ૨૬ દિવસમાં આ ગુનાનો ભેદ ઉકેલી બંને આરોપીને દબોચી લીધા છે.

    ગત ૨૫ જુલાઈના રોજ જગદિશ કાન્તીજી ઠાકોર (રહે.સબલપુર, તા.વડનગર, જી.મહેસાણા) નું ૨ શખસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. જગદિશભાઈને તેમના ગામની બહારથી જ બંને શખસોએ પોલીસની ખોટી ઓળખ આપી સ્કોર્પીયો ગાડી નં.જીજે૭ એઆર ૭૬૩૧માં ઉઠાવી જઈ અપહરણ કરી લીધું હતું. પરિવારજનોને આ મામલે તુરંત વડનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
    બંને આરોપીઓએ જગદિશભાઈનું અપહરણ કર્યા બાદ તેમના પરિવારને ફોન કર્યો હતો અને તેમને છોડાવવા બદલ ૨૫ લાખની ખંડણી માંગી હતી. જાેતે પરિવારે ખંડણી ન આપતા આરોપીઓ જગદિશભાઈને બીજા દિવસે એટલે કે ૨૬મીએ પ્રાતિજ ખાતે ગાડીમાંથી ઉતારી ફરાર થઈ ગયા હતા. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે માત્ર ૨૬ દિવસમાં આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી આનંદકુમાર ડાહ્યાભાઈ પટેલ (રહે.હિરપુરા, નવોવાસ, તા.વિજાપુર, જી.મહેસાણા) અને શૈલેશસિંહ રંગુસિંહ રાઠોડ (રાજપુત) (રહે.આનંદપુરા, વિજાપુર, જી.મહેસાણા)ની ધરપકડ કરી છે. શૈલેશ રાઠોડ અને આનંદ પટેલ બંને આરોપીઓ રિઢા ગુનેગાર છે. શૈલેષ સામે ૩ ગુના નોંધાયા છે, તો આનંદ સામે ૨ ગુના નોંધાયા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.