Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»સરપંચોના હસ્તાક્ષર કરાયેલા પત્રો દ્વારા ફરમાન હરિયાણાના ત્રણ જિલ્લામાં મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધ
    India

    સરપંચોના હસ્તાક્ષર કરાયેલા પત્રો દ્વારા ફરમાન હરિયાણાના ત્રણ જિલ્લામાં મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હરિયાણાના ત્રણ જિલ્લા રેવાડી, મહેન્દ્રગઢ અને ઝજ્જરની પચાસથી વધુ પંચાયતોએ તેમના સંબંધિત વિસ્તારોમાં મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પત્રો જારી કર્યા છે. આ પચાસ પંચાયતોના સરપંચોના હસ્તાક્ષર કરાયેલા પત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેમના મોટાભાગના ગામોમાં લઘુમતી સમુદાયના બહુ ઓછા રહેવાસીઓ છે. એટલા માટે અહીંના મુસ્લિમોએ પોત-પોતાના દસ્તાવેજાે પોલીસને જમા કરાવવા પડશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, અમારો ઈરાદો કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. જે પેઢીઓથી અહીં રહી રહ્યા છે તેમને છોડીને હાલના વર્ષમાં અહીં રહેતા લોકોની ઓળખ ચકાસવામાં આવશે. જાેકે, આ સમગ્ર મામલે મહેન્દ્રગઢના નારનૌલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનોજ કુમારે જણાવ્યું કે, તેમને કોઈ પ્રકારનો પત્ર નથી મળ્યો. તેઓએ માત્ર સોશિયલ મીડિયા પર જ જાેયું છે. જેના આધારે બ્લોક ઓફિસને તમામ પંચાયતોને કારણદર્શક નોટિસ મોકલવા માટે કહેવામાં આવ્યું છે.

    પોલીસે એમ પણ કહ્યું કે, આ પ્રકારનો પત્ર જારી કરવો કાયદા વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, આ ગામોમાં લઘુમતી સમુદાયની વસ્તી બે ટકા પણ નથી. અહીં તમામ સદ્ભાવથી રહે છે. આ પ્રકારની નોટિસથી માહોલ બગડે છે. તાજપુરના એક નિવાસીએ આ પ્રકારના પત્ર અંગે કહ્યું કે, આ નૂહ હિંસાનું રિએક્શન છે. આગળ તેમણે કહ્યું કે, આનાથી અમને કોઈ સમસ્યા નથી. અહીં કુલ ૭૫૦ ઘર છે પરંતુ આ ગામમાં લઘુમતી સમુદાયનું કોઈ પરિવાર નથી. બીજી તરફ અન્ય એક ગામ કુંજપુરામાં લઘુમતી સમુદાયના લગભગ ૧૦૦ લોકો રહે છે. અહીંના નિવાસીઓનું કહેવું છે કે, અમે વર્ષોથી એક સાથે રહીએ છીએ. અમે નૂંહ હિંસા વિશે સાંભળ્યું છે પરંતુ અમારી પર તેની કોઈ અસર નથી. અમારો પરિવાર અહીં ૪ પેઢીઓથી રહી રહ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મોટા નુકસાનથી બચવા ફક્ત પાંચ જ દિવસ બચ્યા છે હાથમાં

    September 26, 2023

    આઈએસઆઈ સાથે બહાર આવ્યું કનેક્શન કેનેડાનાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા પંજાબમાં ડ્રગ્સથી કમાણી

    September 26, 2023

    દીવ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સંઘ પ્રદેશ દીવમાં ૧૫ જેટલા દારુના બાર બંધ કરવામાં આવ્યા

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version