Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»dhrm bhkti»Jakhu Temple: હનુમાન જયંતિ પર શિમલાના જખુ મંદિરમાં ભક્તોની ભારે ભીડ
    dhrm bhkti

    Jakhu Temple: હનુમાન જયંતિ પર શિમલાના જખુ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 12, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Jakhu Temple: હનુમાન જયંતિ પર શિમલાના જખુ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

    જાખુ મંદિર: હનુમાન જયંતીના ખાસ પ્રસંગે, શિમલાના ઐતિહાસિક જાખુ મંદિરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. હનુમાનજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.

    Jakhu Temple: શિમલાના ઐતિહાસિક જાખુ મંદિરમાં હનુમાન જયંતિ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. હનુમાનજીના દર્શન માટે સવારે 4 વાગ્યાથી મંદિરમાં ભક્તોની કતાર લાગી જાય છે. પવિત્ર દિવસની શરૂઆત હવન અને યજ્ઞથી થઈ.

    શિમલા સ્થિત ઐતિહાસિક જાખૂ મંદિરમાં હનુમાન જન્મોત્સવની ધામધૂમ

    Jakhu Temple

    શિમલા ના ઐતિહાસિક જાખૂ મંદિરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે. સવારે 4 વાગ્યાથી જ ભક્તો હનુમાનજીના દર્શન માટે લાઈનમાં ઉભા છે. પવિત્ર દિવસની શરૂઆત હવન અને યજ્ઞ સાથે કરવામાં આવી.

    આ મંદિર વિશે માન્યતા છે કે ત્રેતાયુગમાં રામ-રાવણ યુદ્ધ દરમિયાન જયારે મેઘનાથના બાણથી લક્ષ્મણ મુર્છિત થઈ ગયા, ત્યારે હનુમાનજી સંજીવની લાવવા દ્રોણ પર્વત પર ગયા હતા.

    હિમાલય તરફ જતા હનુમાનજીની નજર “રામ નામ” જપતા ઋષિ યક્ષ પર પડી. એવું કહેવાય છે કે હનુમાનજી જાખૂ પર્વત પર ઉતર્યા, જે ખૂબ ઊંચું હતું, પણ જયારે હનુમાનજી ત્યા ઉતર્યા ત્યારે તેમના ભારથી પર્વત દબાઈ ગયો. તેમણે ઋષિ યક્ષ સાથે મુલાકાત કરી અને થોડો આરામ પણ કર્યો.

    હનુમાનજી પાછા જતા સમયે ઋષિ યક્ષને ફરી મળવાનો વચન આપ્યો હતો. પરંતુ પાછા જતા સમયે મોડું થઈ જતા હનુમાનજી એક નાનો રસ્તો લઈ ગયા.

    Jakhu Temple

    કહવામાં આવે છે કે હનુમાનજી ના પાછા ન આવવાથી ઋષિ યક્ષ ખૂબ વ્યાકુળ થઈ ગયા. તેમની આ વ્યાકુલતાને જોઈને હનુમાનજી એ ત્યાં પોતાનું સ્વયંભૂ સ્વરૂપ ધારણ કર્યું. આજે પણ આ મંદિરમાં હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ અને તેમના પગલાં દર્શનાર્થીઓ માટે ખુલ્લાં છે. એવું માનવામાં આવે છે કે ત્યારબાદ ઋષિ યક્ષે આ મંદિરનું નિર્માણ કરાવ્યું. ઋષિ “યક્ષ” થી “યાકૂ” અને પછી નામ પડ્યું “જાખૂ”.

    આજ સવારે 4 વાગ્યે મંદીરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. ત્યારબાદ હનુમાનજીનું શૃંગાર અને આરતી થઈ. ભગવાન હનુમાન માટે દોઢ ક્વિન્ટલ રોટનો ભોગ અર્પણ કરવામાં આવ્યો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Bageshwar Dham accident:બાબા બાગેશ્વર તંબુ દુર્ઘટના

      July 4, 2025

      Bageshwar Dham Sarkar:ધર્મગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રી

      July 4, 2025

      Amarnath Yatra કરવાથી શું લાભ મળે છે?

      June 22, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.