Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»ભારતે યુએઈ સાથે સ્થાનિક ચલણમાં વેપારના કરાર કર્યા ભારત અને ઈન્ડોનેશિયાના ચલણમાં વેપાર માટે વાટાઘાટ
    India

    ભારતે યુએઈ સાથે સ્થાનિક ચલણમાં વેપારના કરાર કર્યા ભારત અને ઈન્ડોનેશિયાના ચલણમાં વેપાર માટે વાટાઘાટ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તાજેતરમાં, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સાથે સ્થાનિક ચલણમાં વેપાર અંગેની ડીલ બાદ હવે ભારત અને ઈન્ડોનેશિયા સાથે આવો જ કરાર કરવાની તૈયારી કરી રહ્યો છે. બંને દેશો રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ અને સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે એકબીજા સાથે વાટાઘાટો કરી રહ્યા છે અને સારા સમાચાર ટૂંક સમયમાં આવી શકે છે. એક અહેવાલ મુજબ, બંને દેશોની સરકારો વચ્ચે ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે પણ ચર્ચા થઈ રહી છે, જેથી યુપીઆઈઅને અન્ય સમાન સંસાધનોનો ઉપયોગ કરી શકાય. ભારત-ઇન્ડોનેશિયા આર્થિક અને નાણાકીય સંવાદ, જે રવિવાર (૧૫ મે) ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થયો હતો, જેમાં દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવા, નાણાકીય સેવાઓ અને માળખાકીય સુવિધાઓના વિકાસ વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

    વાટાઘાટોની શરૂઆતની ઘોષણા કરતા નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું, “ભારતે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કુશળતા વિકસાવી છે તેથી તે અનુકૂળ અને સસ્તું ડિજિટલ ચૂકવણી માટે ઉકેલો પ્રદાન કરી શકે છે. સમાવેશના લક્ષ્યોને હાંસલ કરવામાં મદદ કરી શકે છે.” મીટિંગ માટે ભારત પહોંચેલા ઈન્ડોનેશિયાના નાણા મંત્રી મિલ્યાની ઈન્દ્રાવતીએ કહ્યું કે, બંને દેશો ડિજિટલ ટેક્નોલોજી, સેન્ટ્રલ બેંકો હેઠળની પેમેન્ટ સિસ્ટમ અને સ્થાનિક ચલણના ઉપયોગમાં સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરશે. અહેવાલ અનુસાર, ઈન્ડોનેશિયા સાથેની મુદ્રા વ્યવસ્થા યુએઈ જેવી જ હોઈ શકે છે. એટલે કે, ભારતીય નિકાસકારો ઇન્ડોનેશિયન રૂપિયામાં વેપાર કરી શકે છે, જ્યારે ઇન્ડોનેશિયા તેની ચુકવણી ભારતીય રૂપિયામાં મેળવી શકે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    એશિયાડમાં શુટિંગમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો એશિયાડમાં ભારતે ફરી એકવાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

    September 29, 2023

    મોતની ખાણ ૪ મજૂરોને ભરખી ગઈ સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

    September 29, 2023

    ખોટો નીકળ્યો પૂજારીનો દાવો વડાપ્રધાન મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી

    September 28, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version