Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»IND Vs ENG: rohit sharma એ નિવૃત્તિના પ્રશ્ન પર પોતાનું મૌન તોડ્યું,
    Cricket

    IND Vs ENG: rohit sharma એ નિવૃત્તિના પ્રશ્ન પર પોતાનું મૌન તોડ્યું,

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarMarch 9, 2024No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    rohit shrma : ભારતીય કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રોહિત શર્મા લગભગ બે મહિના સુધી ભૂગર્ભમાં ગયો. દરેક વ્યક્તિ તેના નિવૃત્તિ વિશે અટકળો કરવા લાગ્યા. ત્યારબાદ તે સાઉથ આફ્રિકા સિરીઝમાં ટેસ્ટ ટીમ સાથે જોડાયો હતો. જે બાદ તે અફઘાનિસ્તાન સામેની ટી20 શ્રેણીમાં વાપસી કરી હતી અને સદી પણ ફટકારી હતી.

    હવે તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની તમામ મેચ રમી અને ટીમને 4-1થી જીત અપાવવામાં પણ મદદ કરી. ધર્મશાળામાં શ્રેણી જીત્યા બાદ અને પાંચમી ટેસ્ટમાં વિજય નોંધાવ્યા બાદ રોહિત શર્માએ નિવૃત્તિના પ્રશ્ન પર પોતાનું મૌન તોડ્યું છે. રોહિત શર્માએ મેચ બાદ Jio સિનેમા પર નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું હતું. તે સમયે તેની સાથે ઝહીર ખાન પણ હાજર હતો. આ દરમિયાન રોહિતે એ પણ જણાવ્યું કે તે ક્યારે નિવૃત્ત થશે.

    હિટમેન ક્યારે નિવૃત્તિ લેશે?
    રોહિત શર્માએ નિવૃત્તિ લેવાની યોજના પર કહ્યું, ‘જ્યારે એક દિવસ હું જાગીશ અને મને મારામાં લાગશે કે હું હવે રમવા માટે યોગ્ય નથી. તે દિવસે હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈશ. પરંતુ મને લાગે છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં મેં મારી રમતમાં સુધારો કર્યો છે.આપને જણાવી દઈએ કે રોહિત શર્માએ છેલ્લા કેટલાક દિવસોમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે ટેસ્ટ ક્રિકેટ, ODI ક્રિકેટ અને T20 ક્રિકેટમાં પણ સદી ફટકારી છે. ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં પણ રોહિતે બે સદી ફટકારી હતી.

    કેવી રહી રોહિત શર્માની કારકિર્દી?
    રોહિત શર્માના કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 59 ટેસ્ટ, 262 વનડે અને 151 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટમાં તેના નામે 4138 રન છે જેમાં 12 સદી અને 17 અડધી સદી સામેલ છે. જ્યારે ODI ક્રિકેટમાં રોહિત શર્માએ 31 સદી અને 55 અડધી સદીની મદદથી 10709 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં રોહિતે 5 સદી અને 29 અડધી સદીની મદદથી 3974 રન બનાવ્યા છે. રોહિત શર્મા 2007 થી ODI અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તેણે 2013માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

    Rohit Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.