Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આગામી થોડા દિવસોમાં ચંદ્ર પર ભીડ વધશે ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર ઊતરશે, રશિયા-જાપાનના યાન પણ લેન્ડ કરશે
    India

    આગામી થોડા દિવસોમાં ચંદ્ર પર ભીડ વધશે ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર ઊતરશે, રશિયા-જાપાનના યાન પણ લેન્ડ કરશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આગામી થોડા દિવસોમાં ચંદ્ર પર ભીડ વધવાની છે. ભારતનું ચંદ્રયાન-૩ ૨૩ કે ૨૪ ઓગસ્ટે ચંદ્ર પર ઉતરવાનું છે. આ સાથે રશિયાનું લુના-૨૫ અવકાશયાન પણ આ અઠવાડિયે ચંદ્ર માટે ઉડાન ભરવાનું છે અને એવું માનવામાં આવે છે કે તે પણ ચંદ્રયાન-૩ની આસપાસ જ ચંદ્ર પર ઉતરશે. જાપાનનું સ્લિમ (સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેટિંગ મૂન) અવકાશયાન પણ આ ભીડમાં સામેલ થવાની યોજના બનાવી રહ્યું છે. જાે કે સ્લિમના લેન્ડિંગનો સમય હજુ જણાવવામાં આવ્યો નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પણ ભારતના ચંદ્ર મિશનના નિર્ધારિત સમયની આસપાસ ચંદ્ર પર ઉતરશે. જાે આવું થાય, તો તે પ્રથમ વખત બનશે કે ત્રણ દેશોના વાહનો એક સાથે ચંદ્રની સપાટી પર પગ મૂકશે.

    રશિયાએ જ્યારે તેનું પ્રથમ વાહન ચંદ્ર પર મોકલ્યું ત્યારે વિશ્વને પ્રથમ ચંદ્ર ડેટા ૧૯૫૯ માં મળ્યો. આ સિવાય ચંદ્રની પહેલી તસવીર પણ રશિયાના લુના-૩ દ્વારા ૧૯૫૯માં લેવામાં આવી હતી. રશિયાએ ૧૯૭૬માં લુના-૨૪ પછી ચંદ્ર પર પોતાનું કોઈ વાહન મોકલ્યું ન હતું. ભારતનું ત્રીજું ચંદ્ર મિશન સફળતા તરફ આગળ વધી રહ્યું છે. ઈસરોએ ૯ ઓગસ્ટ, બુધવારે બીજી વખત ચંદ્રયાન-૩ની ભ્રમણકક્ષા ઘટાડી છે. હવે ૧૪ ઓગસ્ટે ફરી એકવાર ભ્રમણકક્ષામાં ઘટાડો થશે. આ પહેલા ૬ ઓગસ્ટે રાત્રે લગભગ ૧૧ વાગે ચંદ્રયાનની ભ્રમણકક્ષા પ્રથમ વખત ઘટાડવામાં આવી હતી.

    ચંદ્રયાન માટે આ એક મોટી સફળતા છે. ઈસરો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રયાન-૩ હાલમાં ચંદ્રની ૧૭૦ કિમી એક્સ ૪૩૧૩ કિમીની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરી રહ્યું છે. આમાં ચંદ્રયાન-૩નું ચંદ્રથી સૌથી ઓછું અંતર ૧૭૦ કીમીઅને મહત્તમ અંતર ૪૩૧૩ કીમીછે. ૨૨ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કર્યા પછી, ચંદ્રયાન ૩ એ ૫ ઓગસ્ટના રોજ લગભગ ૭ઃ૧૫ વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian Railway: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટું એલાન: જમ્મુ-ઉધમપુરથી દિલ્હી સુધી તાત્કાલિક 3 સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે

    May 9, 2025

    ICAI CA Exam 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે CA પરીક્ષા મુલતવી રાખવામાં આવી, icai.org પર સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સ જુઓ

    May 9, 2025

    Delhi Alert: ભારત-પાક તણાવ બાદ દિલ્હી એલર્ટ પર, લાલ કિલ્લો અને કૂતૂબ મિનાર સહિત ઐતિહાસિક સ્થળોની સુરક્ષા ચુસ્ત

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.