Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા ગીર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા
    Gujarat

    સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા ગીર સોમનાથ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સૌરાષ્ટ્રમાં મંગળવારથી આજ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અધિક માસમાં મેહુલિયો સાંબેલાધાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે પર પણ ધસમસતા પ્રવાહ ફરી વળ્યા છે. સુત્રાપાડા ફાટક અને વેરાવળ વચ્ચેનો રોડ ધોવાયો છે. વેરાવળના સોનારિયા ગામ નજીક હાઇવે પર પણ ધોવાણ થયું છે. ધોવાણ થતા નેશનલ હાઇવે બંધ કરાયો છે. કપિલા નદીના પાણીને કારણે હાઇવે બંધ કરાયો છે. ગીર સોમનાથમાં અનરાધાર આફત આવી છે. સુત્રાપાડા અને વેરાવળમાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વેરાવળમાં આજે બે કલાકમાં ૩.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સુત્રાપાડામાં ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે કોડીનારમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસતા વરસાદને કારણે અનેક રોડ રસ્તા બંધ થયા છે. વેરાવળ કોડીનાર નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. સોનારિયા ગામ નજીક સરસ્વતી નદીના પાણી ફરી વળ્યા છે. તો સુત્રાપાડા કોડીનાર હાઇવે પણ બંધ થયો છે.

    વાવડી નજીક રોડ પર પાણી ફરી વળતા બંધ થયો છે. ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થની સરસ્વતી નદી પણ તોફાની બની છે. ગીર જંગલ અને તાલાળામાં ધોધમાર વરસાદથી પાણી પાણી થયા છે. નદીનો જળ સ્તર વધતા પ્રાચી તીર્થના કેટલાક વિસ્તારો પાણી ભરાયાં છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પાછલા ૨૪ કલાકમાં રાજ્યના ૧૭૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ૨૨ ઈંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા, વેરાવળ, તલાલા, ધોરાજી, કોડિનાર સહિતના ભાગોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે. રાજ્યના દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં ૫૪૧દ્બદ્બ (૨૧.૨ ઈંચ) વરસાદ થયો છે, આ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં ૪૮૧દ્બદ્બ (૧૮.૯ ઈંચ), તલાલામાં ૨૯૯દ્બદ્બ (૧૧.૭ ઈંચ), રાજકોટના ધોરાજીમાં ૨૯૫દ્બદ્બ (૧૧.૬ ઈંચ), ગીર સોમનાથના કોડિનારમાં ૨૧૮દ્બદ્બ (૮.૫ ઈંચ) વરસાદ થયો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મહિલાઓનું લોકપ્રતિનિધિત્વ વધશે મહિલા અનામત બિલથી ગુજરાતને મજબૂત ફાયદો થશે

    September 20, 2023

    કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે વરસતા વરસાદમાં ફિટનેસ ટ્રેનરને રીલ્સ બનાવવી પડી ભારે

    September 20, 2023

    ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ અમદાવાદ ; સાબરમતી નદીમાં છોડાયું પાણી

    September 20, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version