Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કોન્સ્ટેબલ ચેતન સિંહના ગોળીબાર કેસની તપાસ જીઆરપીની ટીમે મુંબઈ સેન્ટ્રલ કાર શેડમાં ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો
    India

    કોન્સ્ટેબલ ચેતન સિંહના ગોળીબાર કેસની તપાસ જીઆરપીની ટીમે મુંબઈ સેન્ટ્રલ કાર શેડમાં ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 10, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે ૩૧ જુલાઈની સવારે દોડતી ટ્રેનમાં કરેલા ગોળીબારમાં ચાર જણે જીવ ગુમાવ્યાની ઘટનાની તપાસના ભાગ રૂપે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ની ટીમે કાર શેડમાં ઊભેલી જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો હતો. બોરીવલી રેલવે પોલીસ સ્ટેશનની જીઆરપીની ટીમ મંગળવારે મુંબઈ સેન્ટ્રલના કાર શેડમાં પહોંચી હતી. કાર શેડમાં ઊભેલી ટ્રેનના જે કોચમાં આરપીએફના એએસઆઈ અને ત્રણ પ્રવાસીઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી તેમાં જીઆરપીની ટીમ ગઈ હતી. મુખ્ય સાક્ષીદારો અને આરપીએફના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં જીઆરપીની ટીમે ક્રાઈમ સીન રિક્રીએટ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

    જાેકે આરપીએફના કોન્સ્ટેબલ ચેતન સિંહને આ કવાયત દરમિયાન હાજર રખાયો નહોતો. નોંધનીય છે કે ચેતને તેના ઉપરી એએસઆઈ ટીકારામ મીણા અને અલગ અલગ કોચના ત્રણ પ્રવાસીની તેની ઓટોમેટિક રાઈફલથી ગોળીબાર કરી હત્યા કરી હતી. સિંહ અત્યારે જીઆરપીની કસ્ટડીમાં છે. સિંહની પોલીસ કસ્ટડી વધારવાની માગણી કરતી સોમવારે કરાયેલી અરજીમાં જીઆરપીએ નોંધ્યું હતું કે તપાસ માટે સિંહને ગુનાના સ્થળે લઈ જવાનો છે. તપાસ કરનારી ટીમે ટ્રેનમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પ્રાપ્ત કર્યાં હતાં અને હત્યાકાંડની વધુ વિગતો મેળવવા તેની ચકાસણી કરી હતી. ટીમે સાક્ષીઓનાં નિવેદન પણ નોંધ્યાં હોવાનું અધિકારીનું કહેવું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.