Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સરકારી બાબુઓ હજી પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યાં આનંદનગરના PSI ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા
    Gujarat

    સરકારી બાબુઓ હજી પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યાં આનંદનગરના PSI ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. છતાં પણ કેટલાક સરકારી બાબુઓ એવા છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઇ રહ્યાં. એસીબીના ચોપડે એક પછી એક બનાવો નોંધાઇ રહ્યા છે. ત્યારે વધુ એક પીએસઆઇ રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયેલ છે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એન યુ ટાપરીયાએ આરોપીને માર નહિ મારવા અને પાસા ન કરવા માટે ૫૦ હજારની લાંચ માંગી હતી. જે ૫૦ હજારની લાંચ સ્વીકારતા તેઓ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા છે. શહેરના આનંદનગર પોલીસસ્ટેશનની હદમાં આવતા જાેધપુર ગામ વિસ્તારના ગોપાલ આવાસ ખાતે એક બનાવ બન્યો હતો.

    રાયોટિંગ, છેડતી, મારામારીની આ ઘટનાની આનંદનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. જે ગુનાની તપાસ દરમિયાન આનંદનગર પોલીસસ્ટેશનના પીએસઆઇ નરેશદાન ઉમેદસિંહ ટાપરિયાએ મહિલાના પતિને પકડ્યો હતો. જેમાં મહિલાના પતિ સામે ૧૫૧ કરી જામીન લેવડાવી માર નહીં મારવા અને અને પાસા નહી કરવા પેટે પીએસઆઇ ટાપરીયાએ રૂ. ૫૦ હજારની માંગ કરી હતી. જાેકે મહિલા ૫૦ હજાર આપવા ન માંગતા હોવાથી તેઓએ લાંચ રૂશ્વત બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો. જેથી એસીબીએ જાેધપુર ગામ પોલીસ ચોકી ખાતે છટકુ ગોઠવી પીએસઆઇ નરેશદાન ઉમેદસિંહ ટાપરીયાને ૫૦ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ચૂક્યા છે. ત્યારે વધુ એક પીએસઆઇ હવે લાંચ લેતા ઝડપાયા છે. હાલમાં એસીબીએ આ સમગ્ર મામલે પીએસઆઇને ઝડપીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.