Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભગવા રંગના કારણે છેતરાયા વર્ષ સુધી લોકો શૌચાલયને મંદિર સમજીને પ્રણામ કરતા રહ્યા
    India

    ભગવા રંગના કારણે છેતરાયા વર્ષ સુધી લોકો શૌચાલયને મંદિર સમજીને પ્રણામ કરતા રહ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskNovember 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવતા જ સરકારી ઈમારતો, સ્કૂલ અને બસોને ભગવા રંગમાં રંગવાનું શરુ કરી દીધું હતું. આ જ ક્રમમાં હમીરપુરમાં સરકારી ઈમારતો અને સ્કૂલ ઉપરાંત એક શૌચાલયને પણ ભગવા રંગે રંગી દીધું હતું. ત્યાર બાદ જે થયું તે ચોંકાવનારું હતું. ટોયલેટ જે રીતે બનાવ્યું હતું અને તેના પર ઉપરથી ભગવો રંગ લગાવ્યો હતો, તેના કારણે જેટલા પણ લોકો ત્યાંથી પસાર થતાં હતા, તેને મંદિર સમજીને પ્રણામ કરતા હતા. આ સિલસિલો એક વર્ષ સુધી ચાલતો રહ્યો. આ વાત જેવી આખા વિસ્તારમાં ફેલાઈ તો, નગર પાલિકાના અધિકારીઓએ ટોયલેટનો રંગ ભગવાથી બદલીને ગુલાબી કરી દીધો.

    આ કિસ્સો હમીરપુરના મૌદહા સીએચસીનો છે. જ્યાં નગર પાલિકાએ એક વર્ષ પહેલા શૌચાલય બનાવ્યું હતું. આ શૌચાલયને નગરપાલિકા અને સીએચસીના કોન્ટ્રાક્ટરોએ ભગવા રંગમાં રંગી દીધું હતું. તેનું ઉદ્ધાટન મૌદહાના એસડીએમ અજીત પરેશ અને ચેરમેન રામકિશોરે કર્યું હતું. પણ દૂરથી આ શૌચાલય ભગવા રંગના કારણે મંદિર જેવું દેખાય છે. ત્યારે આવા સમયે સીએચસીમાં આવતા લોકો અને દર્દીઓ આ શૌચાલયને મંદિર સમજીને પ્રમાણ કરવામાં આવ્યા હતા. પણ ગામના લોકોને એ નહોતી ખબર કે આ સંડાસ બાથરુમ છે.

    જ્યારે તેઓ નજીક જઈને જાેવે તે હસી હસીને ગોટે વળી જતાં હતા. આ સિલસિલો લગભગ એક વર્ષ સુધી ચાલતો રહ્યો. સ્થાનિક દુકાનદાર હની સિંહે કહ્યું કે, મારી દુકાન ટોયલેટની સામે જ છે. આવતા જતાં લોકો તેને ભગવાન રંગના કારણે મંદિર સમજીને પ્રણામ કરતા હતા. જાે કે, હવે તેને ગુલાબી રંગમાં રંગી દેવામાં આવ્યું છે. આ બાજુ ભગવા રંગના કારણે શૌચાલયને મંદિર સમજવાની વાત સામે આવી તો નગરપાલિકાના ચેરમેન શૌચાલયનો રંગ બદલાવી નાખ્યો. જેનાથી હવે તે શૌચાલય જેવું લાગી રહ્યું છે. નગર પાલિકાના ચેરમેન રામકિશોરે કહ્યું કે, આ ટોયલેટનું બાંધકામ એક વર્ષ પહેલા કરાવ્યું હતું. પણ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે તેનો રંગ ભગવો કરી દીધો. જેનાથી લોકો છેતરાઈને પ્રણામ કરતા હતા. જ્યારે તેમને આ વાતની જાણ થઈ તો તેમણે તાત્કાલિક તેનો રંગ બદલાવી નાખ્યો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026

      કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય: 5 કેન્દ્રીય એજન્સીઓમાં ડેપ્યુટેશનનો સમયગાળો વધારીને 7 વર્ષ કરાયો

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.