Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»ક્રિકેટમાં ફરી એક વાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ યુએઈમાં ટી૧૦ લિગમાં ફિક્સિંગ અંગે ૩ ભારતીય સહિત ૮ સામે આરોપ
    Cricket

    ક્રિકેટમાં ફરી એક વાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ યુએઈમાં ટી૧૦ લિગમાં ફિક્સિંગ અંગે ૩ ભારતીય સહિત ૮ સામે આરોપ

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ક્રિકેટમાં ફરી એક વાર ફિક્સીંગ રેકેટનો પર્દાફાશ થયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ૨૦૨૧માં યુનાઇટેડ અરબ અમીરાત(યુએઈ)માં રમાયેલી ટી-૧૦ લીગ દરમિયાન ફિક્સિંગ બાબતે ૩ ભારતીયો સહીત ૮ લોકો સામે આરોપ લાગ્યા છે, સાથે સાથે કેટલાક અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જે ભારતીયોના નામ સામેલ છે તેમાં ૨ ટીમના માલિક છે. આ સિવાય બાંગ્લાદેશ ટીમના પૂર્વ ખેલાડી નાસિર હુસૈનનું નામ પણ આ યાદીમાં છે.

    ફિક્સિંગની પ્રવૃતિઓમાં સંડોવાયેલા ભારતીયોમાં આ લીગમાં રમી રહેલી ટીમ પુણે ડેવિલ્સના સહમાલિક પરાગ સંઘવી અને કૃષ્ણ કુમારનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રીજાે ભારતીય સની ઢીલ્લોન છે જે ટીમનો બેટિંગ કોચ છે. આઈસીસી કહ્યું કે આ આરોપો વર્ષ ૨૦૨૧માં અબુ ધાબી ટી-૧૦ લીગ સાથે સંબંધિત છે, આ ટૂર્નામેન્ટમાં મેચ ફિક્સ કરવાના પ્રયાસો થયા હતા. આ ટૂર્નામેન્ટ માટે અમીરાત ક્રિકેટ બોર્ડ(ઇસીબી) દ્વારા ડેઝિગ્નેટેડ એન્ટી કરપ્શન ઓફિસર (ડીએસીઓ) તરીકે આઈસીસીના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

    આ ઉપરાંત આઈસીસસી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં પરાગ સંઘવી પર મેચના પરિણામો અને અન્ય પ્રવૃતિઓ પર સટ્ટો લગાવવાનો અને તપાસમાં એજન્સીને સહકાર ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બેટિંગ કોચ સની ઢીલ્લોન પર મેચ ફિક્સ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ સિવાય કૃષ્ણ કુમાર પર ડીએસીઓથી તથ્યો છુપાવવાનો આરોપ છે. આ યાદીમાં સામેલ બાંગ્લાદેશ ટીમના ભૂતપૂર્વ ખેલાડી નાસિર હુસૈન પર ડીએસીઓ ને ૭૫૦ ડોલરથી વધુ કિંમતની ભેટ પ્રાપ્ત કરવા વિશે જાણ ન કરવાનો આરોપ છે. આ યાદીમાં બેટિંગ કોચ અઝહર ઝૈદી, મેનેજર શાદાબ અહેમદ, યુએઈના સ્થાનિક ખેલાડીઓ રિઝવાન જાવેદ અને સાલિયા સામેલ છે. ૬ લોકોને સસ્પેન્ડ કરવાની સાથે આઈસીસીએ તમામને આરોપીઓનો જવાબ આપવા માટે ૧૯ દિવસનો સમય આપ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Sarfaraz Khan: બુચી બાબુ ટુર્નામેન્ટનો હીરો સરફરાઝ, ઈજાને કારણે હવે ટીમની બહાર

    August 31, 2025

    T20 Cricket: સલમાન નિજારે માત્ર 2 ઓવરમાં કમાલ કરી, 12 બોલમાં 11 છગ્ગા ફટકાર્યા!

    August 30, 2025

    KL Rahul Became India’s Captain? જાણો આઈસીસીનો નિયમ અને આખી વિગત

    July 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.