Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»નર્મદા મૈયા બ્રિજ પર પ્રોટેક્શન વોલ લગાવવા માંગ ભરૂચ-અંકલેશ્વરને જાેડતો બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બન્યો
    Uncategorized

    નર્મદા મૈયા બ્રિજ પર પ્રોટેક્શન વોલ લગાવવા માંગ ભરૂચ-અંકલેશ્વરને જાેડતો બ્રિજ સ્યુસાઇડ પોઇન્ટ બન્યો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભરૂચ અને અંકલેશ્વરને જાેડતો નર્મદા મૈયા બ્રિજ લોકો માટે સુસાઇડ પોઇન્ટ બન્યો હોવાની સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, આ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લા ૨૦ દિવસમાં ચાર જેટલા લોકોએ પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીનો સ્થાનિક માછીમારો અને સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકી દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. જાેકે ૪ લોકો પૈકી હજુ પણ ૨ લોકોના મૃતદેહ હજી સુધી મળ્યા નથી.

    ભરૂચ અને અંકલેશ્વરને જાેડતો નર્મદા મૈયા બ્રિજ ૨૦૨૧ માં લોકોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ૨૦૨૧થી લઈને ૨૦૨૩ સુધીમાં આ બ્રિજ ઉપરથી ૨૫ થી ૩૦ જેટલા લોકોએ નર્મદા નદીમાં છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું. જેમાં કેટલાક લોકોના જીવ ગયા હતા અને કેટલાક લોકોનો બચાવ પણ થયો હતો જ્યારે કેટલાક લોકોની હજી સુધી ડેડબોડી પણ મળી નથી.
    સ્થાનિક સ્મશાન સંચાલક ધર્મેશભાઈના જણાવ્યા મુજબ ૨૦૨૧થી લઈને ૨૦૨૩ સુધીમાં ૨૫ થી ૩૦ જેટલા લોકોએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં પડતું મૂક્યું હતું. જેમાં કેટલાક કિસ્સાઓ તો ધર્મેશભાઈ સોલંકી એ પોતાની નજરે જાેયા હતા.

    જ્યારે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે ધર્મેશભાઈ સોલંકી અને સ્થાનિક માછીમારો દ્વારા નર્મદા નદીમાં લોકો દ્વારા મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક અને માછીમારોની સુજના લીધે આઠથી નવ લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર જ્યારે જ્યારે પણ લોકો નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પડતું મૂકે છે ત્યારે ખાસ કરીને પ્રેમમાં નાસી પાસ થયેલ યુવક યુવતીઓ, ઘર કંકાસને લઈને મહિલાઓ અને પુરુષો અને બેરોજગારીને લઈને યુવકો દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપર આવીને મોતનો કૂદકો લગાવી સુસાઇડ કરતા હોય છે. આ ઘટનાઓ નજરે જાેનાર ધર્મેશ સોલંકી દ્વારા અવારનવાર મીડિયામાં સ્થાનિક તંત્રમાં માંગ કરી હતી કે, નર્મદા મૈયા બ્રિજની બંને તરફ પ્રોટેક્શન નેટ લગાવવામાં આવે તો સુસાઇડ કરનારા લોકોના જીવ બચાવી શકાય છે અને તેઓને ફરીથી હિંમત આપીને જીવન જીવતા શીખાવી શકાય છે. પરંતુ આજ દિન સુધી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની બંને તરફ પ્રોટેક્શન નેટ લગાવવામાં આવી નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    સોનાનો ભાવ બે ગણો થયો: આગામી 5 વર્ષમાં ક્યાં પહોંચશે

    September 24, 2025

    ITR Filing: સમયમર્યાદા ચૂકી ગયા? હજુ પણ તક છે

    September 17, 2025

    Seasonal Throat Pain: બદલાતા મોસમમાં ગળાની દેખભાળ, સરળ ઘરગથ્થું ઉપાયો.

    July 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.