ભરૂચ અને અંકલેશ્વરને જાેડતો નર્મદા મૈયા બ્રિજ લોકો માટે સુસાઇડ પોઇન્ટ બન્યો હોવાની સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, આ નર્મદા મૈયા બ્રિજ પરથી છેલ્લા ૨૦ દિવસમાં ચાર જેટલા લોકોએ પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીનો સ્થાનિક માછીમારો અને સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકી દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો. જાેકે ૪ લોકો પૈકી હજુ પણ ૨ લોકોના મૃતદેહ હજી સુધી મળ્યા નથી.
ભરૂચ અને અંકલેશ્વરને જાેડતો નર્મદા મૈયા બ્રિજ ૨૦૨૧ માં લોકોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ૨૦૨૧થી લઈને ૨૦૨૩ સુધીમાં આ બ્રિજ ઉપરથી ૨૫ થી ૩૦ જેટલા લોકોએ નર્મદા નદીમાં છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું. જેમાં કેટલાક લોકોના જીવ ગયા હતા અને કેટલાક લોકોનો બચાવ પણ થયો હતો જ્યારે કેટલાક લોકોની હજી સુધી ડેડબોડી પણ મળી નથી.
સ્થાનિક સ્મશાન સંચાલક ધર્મેશભાઈના જણાવ્યા મુજબ ૨૦૨૧થી લઈને ૨૦૨૩ સુધીમાં ૨૫ થી ૩૦ જેટલા લોકોએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં પડતું મૂક્યું હતું. જેમાં કેટલાક કિસ્સાઓ તો ધર્મેશભાઈ સોલંકી એ પોતાની નજરે જાેયા હતા.
જ્યારે જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે ધર્મેશભાઈ સોલંકી અને સ્થાનિક માછીમારો દ્વારા નર્મદા નદીમાં લોકો દ્વારા મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક અને માછીમારોની સુજના લીધે આઠથી નવ લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર જ્યારે જ્યારે પણ લોકો નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પડતું મૂકે છે ત્યારે ખાસ કરીને પ્રેમમાં નાસી પાસ થયેલ યુવક યુવતીઓ, ઘર કંકાસને લઈને મહિલાઓ અને પુરુષો અને બેરોજગારીને લઈને યુવકો દ્વારા નર્મદા મૈયા બ્રિજ ઉપર આવીને મોતનો કૂદકો લગાવી સુસાઇડ કરતા હોય છે. આ ઘટનાઓ નજરે જાેનાર ધર્મેશ સોલંકી દ્વારા અવારનવાર મીડિયામાં સ્થાનિક તંત્રમાં માંગ કરી હતી કે, નર્મદા મૈયા બ્રિજની બંને તરફ પ્રોટેક્શન નેટ લગાવવામાં આવે તો સુસાઇડ કરનારા લોકોના જીવ બચાવી શકાય છે અને તેઓને ફરીથી હિંમત આપીને જીવન જીવતા શીખાવી શકાય છે. પરંતુ આજ દિન સુધી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની બંને તરફ પ્રોટેક્શન નેટ લગાવવામાં આવી નથી.