Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદમાં બોક્સ માર્કિંગ ચાર રસ્તા ક્રોસ કરતા પહેલા ચેતજાે નહીંતર આવશે મેમો
    Gujarat

    અમદાવાદમાં બોક્સ માર્કિંગ ચાર રસ્તા ક્રોસ કરતા પહેલા ચેતજાે નહીંતર આવશે મેમો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 17, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શહેરમાં ચાર રસ્તા જંક્શન પર હવે વચ્ચે ઉભા રહી શકાશે નહી. રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર બોક્સ માર્કિગ તૈયાર કરાયું છે. ચાર રસ્તા પર ટ્રાફિકજામ અટકાવવાનો હેતુથી પોલીસ વિભાગ અને એએમસી સંયુક્ત ક્રમે બોક્સ માર્કિગ તૈયાર કરાયું છે. આગામી સમયમાં શહેરમાં આવા ૨૫ જંક્શન પર પણ બોક્સ માર્કિગ થશે. ચાર રસ્તા જંક્શન પર પીળા પટાની ડિઝાઇન દોરેલા વિસ્તારમાં કોઇપણ વાહન ઉભુ રાખવા પર પ્રતિબંધ રહેશે. અમદાવાદ શહેરમાં એએમસી સૌથી વધુ ટ્રાફિક ધરાવતા શહેરના ૨૫ ચાર રસ્તા પર આવા બોક્સ માર્કિગ બનાવાનું આયોજન કરાયું છે. આ બોક્સ માર્કિગ ચાર રસ્તા પર ટ્રાફિક જામને અટકાવે છે.

    જંકશનના ચારેય રસ્તા આવરી લેવાય છે. ભારે ટ્રાફિક ધરાવતા જંકશન બ્લોક ન થઇ જાય તે માટે આ ડિઝાઇન તૈયાર કરવામા આવી છે. શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પર આ બોક્સ માર્કિગ બનાવવામાં આવ્યું છે. આરટીઓ સર્કલ,ઉસ્માનપુરા, નહેરુનગર, પાલડી ચાર રસ્તા ,ઘેવર સર્કલ,રક્ષા શક્તિ સર્કલ,નમસ્તે સર્કલ,એરપોર્ટ સર્કલ,ગોલ્ડન કતાર સામે,મેમ્કો, રામેશ્વર,શાહેઆલમ, દાણીલીમડા, આવકાર હોલ,હિરભાઇ ટાવર, એનએફડી,પ્રહલાદનગર,મકરબા, મેરી ગોલ્ડ ૩ રસ્તા ,અનુપમ,નિકોલ,ખોડિયાર મંદિર, વિરાટનગર. ટ્રાફિક સમસ્યા છુટકારો મેળવવા માટે સલામત અને શિસ્તબદ્ધ ટ્રાફિક સંચાલન માટે પશ્ચિમ અનેક દેશમાં આ માર્કિગ હોય છે. આ બોક્સ માર્કિગ તે જ જંક્શન પર બનાવવાનું આયોજન છે જ્યાં સૌથી વધુ ટ્રાફિકજામ થવાની સંભાવના છે અથવા હાલ આ ચાર રસ્તા જંક્શન પર ટ્રાફિક થઇ રહ્યુ છે.

    ઉદાહરણ તરીકે જાેઇએ તો બે ટ્રાફિક જંક્શન ખુબ નજીક હોય અને રેડ સિગ્નલ પર થોભેલા વાહનોની લાઇન આગળના જંક્શન સુધી લંબાયેલી હોય તો આ સંજાેગોમાં બોક્સ માર્કિગ સુચવે છે. કોઇપણ વાહન માર્ક કરેલા વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં કે થોડીક ક્ષણો માટે પણ ઉભુ રહી શકશે નહી. રોડ પર આ પ્રકારના માર્કિગ સલામત અને શિસ્તબદ્ધ ટ્રાફિક માટે હોય છે. વિદેશના અનેક દેશમાં આ પદ્ધતિ અમલામા મુકાઇ છે. ત્યારે જાેવાનું રહે છે કે, આ પદ્ધતિ અમદાવાદીઓ કેટલો ફાયદો થાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    વિકાસનું મોડલ ગણાતું ગુજરાત માંદું પડ્યું ગુજરાત સરકારના કરોડો રૂપિયા ગયા પાણીમાં

    September 26, 2023

    અંબાજી જવાના રસ્તા સતત બીજા દિવસે અકસ્માત થયો

    September 26, 2023

    કલેકટરને રજૂઆત કરાઈ નર્મદાના કાંઠે ખેતીના નુકસાન માટે જાહેર કરાયેલું વળતર અપૂરતું હોવાની ખેડૂતોની રાવ

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version