નવી દિલ્હી, તા.૨૦ ઈન્ફોસિસના સહ-સ્થાપક નંદન નિલેકણીએ દેશની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાને કરોડો રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એક પ્રેસ રિલીઝ અને ટ્વીટ દ્વારા માહિતી મળી છે કે, નંદન નિલેકણીએ આઈઆઈટી-બોમ્બેને ૩૧૫ કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. મળતી માહિતી પ્રમાણે નંદન નીલેકણી તરફથી આ નાણાકીય યોગદાન તેમના દ્વારા અગાઉ કરવામાં આવેલા રૂ. ૮૫ કરોડ કરતાં વધુ અનુદાન છે, જે તેમના કુલ યોગદાનને રૂ. ૪૦૦ કરોડ સુધી લઈ જાય છે. વાસ્તવમાં નંદન નીલેકણીએ પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી આઈઆઈટી-બોમ્બેમાંથી જ મેળવી છે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હતી. નંદન નીલેકણીએ જણાવ્યું હતું કે, “આઈઆઈટી-બોમ્બેએ મારા જીવનનો આધારશિલા રહ્યો છે, જે મારા શરૂઆતના વર્ષોને આકાર…
Author: Shukhabar Desk
નવી દિલ્હી, તા.૨૦ પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ આદિપુરુષ જ્યારથી રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મની તેના નબળા વીએફએક્સ અને ખરાબ ડાયલોગ માટે ટીકા થઈ રહી છે. હવે આ મામલે ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને આદિપુરુષ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. એઆઈસીડબલ્યુએએ પત્રમાં આદિપુરુષ ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધની માંગ કરી છે અને કહ્યું હતું કે આ ફિલ્મની પટકથા અને ડાયલોગ સ્પષ્ટપણે ભગવાન રામ અને ભગવાન હનુમાનની છબીને બદનામ કરી રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ હિન્દુઓ અને સનાતનની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે. પ્રભુ રામ એ ભારતમાં દરેક વ્યક્તિ માટે…
પૂર્વોત્તર રાજ્ય આસામ મુશળધાર વરસાદ અને પૂરના કારણે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. પૂરના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આસામ રાજ્યના ૧૦ જિલ્લામાં લગભગ ૩૧ હજાર લોકો જળમગ્ન વિસ્તારમાં રહેવા મજબુર બન્યા છે. પૂરના કારણે આજે પણ સ્થિતિ ગંભીર છે અને વહિવટીતંત્ર પણ રાહત અને બચાવ કાર્યમાં પૂરજાેશમાં લાગી ગયું છે. ભારતીય હવામાન વિભાગે આસામમાં રેડ એલર્ટ જારી કર્યું છે અને આગામી ૫ દિવસ સુધી રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ૧૫ જિલ્લાઓમાં લગભગ ૮૦ હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. ગુવાહાટીમાં આવેલા આઈએમડીનાં પ્રાદેશિક હવામાન કેન્દ્રએ ‘વિશેષ…
તારક મહેતા..ના નિર્માતા અસિત મોદી સામે જાતીય સતામણીમાં એફઆઈઆર મુંબઈ પોલીસે સોમવારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીના આરોપમાં એફઆઈઆર નોંધી છે. તેની સાથે શોના અન્ય બે લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. અસિત મોદી છેલ્લા કેટલાક સમયથી જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહ્યા છે. એક અભિનેત્રીએ તેની સામે એફઆઈઆર નોંધાવી છે. અભિનેત્રીએ શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે પણ ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે કેસ નોંધ્યો હતો. શોમાં ‘રોશનસિંહ સોઢી’ની પત્નીની ભૂમિકા નિભાવનાર ‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર જાતીય સતામણીના ગંભીર…
ટાઈટેનિકના કાટમાળ અને આસપાસના સમુદ્રના વિસ્તારની સફર કરાવતી સબમરિન ગુમ થતા ચકચાર નોર્થ એટલાન્ટિકમાં કે જ્યાં ટાઈટેનિક જહાજ ડૂબ્યું હતું ત્યાં વધુ એક દુર્ઘટના ઘટી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ટાઈટેનિકના કાટમાળ અને આસપાસના સમુદ્રના વિસ્તારની સફર કરાવતી સબમરિન ગુમ થતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ ટૂરિસ્ટ સબમરિન પણ ટાઈટેનિકના કાટમાળના વિસ્તારથી જ ગુમ થઈ ગઈ છે. એજન્સી અને યાનનું સંચાલન કરતી કંપનીના જણાવ્યા અનુસાર યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પેટી ઓફિસર લોર્ડેસે જણાવ્યું કે કોસ્ટ ગાર્ડ અધિકારીઓ સબમરિન (સ્મોલ સબમરીન)ની શોધખોળ કરી રહ્યા છે. આનું સંચાલન ઓશનગેટ એક્સપિડિશન…
બ્રેઈનડેડ યુવકની બે કિડનીના દાનથકી બે વ્યકિતઓને નવજીવન તથા બે ચક્ષુઓથી બે વ્યકિતઓની આંખોમાં રોશની પથરાશે બિપરજાેય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાયું છે, ત્યારે રાજ્ય સરકાર લોકોના જાનમાલની સલામતી અને જીવનરક્ષાને પ્રાથમિકતા આપી રહી છે, એ જ રીતે હાલ વાવઝોડાની દહેશત વચ્ચે પણ સુરતમાં અંગદાનની સરવાણી અટકી નથી, એની આજે પ્રતીતિ થઈ છે. સુરતના કોસાડ આવાસ ખાતે ૨૮ વર્ષીય ગણેશ કેશવભાઈ પરમાર અને તેમના ભાઈ વચ્ચે ઝઘડો થતા ગણેશને ઈજા થઈ હતી. તા.૧૪મી જૂનના રોજ સવારે ૭.૩૦ વાગે નવી સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તા.૧૬મીએ રાત્રિએ ૧.૩૦ વાગે ન્યુરોફિજીશ્યન સર્જન ડો.પરેશ ઝાંઝમેરા તથા ન્યુરોસર્જન…
આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ એકમો પર દરોડા પાડીને પનીરના સેમ્પલ લેવાયા હતા, ત્રણ સેમ્પલ ફેલ નીકળ્યા ગુજરાતમાં ખાણીપીણીની નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે. જાે તમે પણ પનીર ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજાે, રાજકોટ બાદ હવે વડોદરામાં પનીરના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે. ગુજરાતભરમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે. જેમાં બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ વેચતા એકમો પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આવામાં વડોદરામાં પનીરના સેમ્પલ ફેલ થયા છે. વડોદરા પાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં પનીરના નમૂના ફેલ થયા છે. પાલિકા દ્વારા ત્રણ પનીરના મેન્યુફેક્ચરિંગ યુનિટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજકાલ…
૧૪ હાથી ભગવાનની પાલખીની આગેવાની કરશે હદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા થશે. રથયાત્રા દરમિયાન ૧૪ હાથી ભગવાનની પાલખીની આગેવાની કરશે ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. પશુપાલન વિભાગ,વન વિભાગ અને ઝુ ઓથોરિટીના ડોક્ટરોએ ગજરાજનું મેડિકલ ચેકઅપ કર્યુ હતુ. હાથીઓ માનસીક સંતુલન ગુમાવે નહીં તે માટે તેમની જરૂરી શારિરીક તપાસ કરાઈ હતી. તપાસમાં ફિઝિકલ અને મેન્ટલી બને તપાસ કરવામાં આવે છે. દર વર્ષે રથયાત્રામાં જાેડાય છે. સાથે હાથીને ભગવાનનું પ્રિય પ્રાણી પણ માનવામાં આવે છે. જેથી વર્ષોથી આ રથયાત્રામાં હાથી…
કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે: સુભદ્રા તેમના ભાઈઓ સમક્ષ નગરચર્યા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે અષાઢી બીજનો પર્વ એટલે ભગવાન જગન્નાથનો દિવસ જ્યારે ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ સાથે નગરચર્યા પર નીકળે છે, ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ મંદિર વિશ્વવિખ્યાત છે. હિન્દુ ધર્મના પવિત્ર ચારધામ તીર્થમાંથી એક છે જગન્નાથપુરી. જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુના અવતારમાં કૃષ્ણ મંદિર આવેલું છે. પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભારતમાં પુરીમાં સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ત્યારબાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા કહેવાય છે. ત્યારે પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા પાછળનો છે રોચક ઈતિહાસ. આ રીતે નીકળે…
અગાઉ પહેલા ધોરણમાં ૧૦ લાખ વિદ્યાર્થીઓ એડમિશન લેતા હતા અને આ વર્ષે સંખ્યા માત્ર ૩ લાખ જેટલી છે ુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટેની ઉંમર ફરજિયાત છ વર્ષ કરી દેવામાં આવી છે અને તેની અસર આ વર્ષના એડમિશન પર જાેવા મળી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પહેલા ધોરણમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો છે. દર વર્ષે ૧૦-૧૧ લાખની સામાન્ય સંખ્યાની સામે આ વર્ષે માત્ર ૩ લાખ વિદ્યાર્થીઓને જ પહેલા ધોરણ પ્રવેશ આપવામાં આવ્યો છે. એક્ટપર્ટે જણાવ્યું હતું કે, આ આગળ વધશે અને ૨૦૩૩માં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ તે જ પ્રમાણમાં ઘટાડો થશે. તેની…