ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૬મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ખૂબ ચર્ચા થઇ હતી. આ પાછળનું કારણ એ હતું કે ઘણા ક્રિકેટ ફેન્સનું માનવું હતું કે આ ધોનીની છેલ્લી સીઝન હોઈ શકે છે. આ કારણે ઘણા ખેલાડીઓ મેચ બાદ ધોની સાથે સેલ્ફી લેતા કે જર્સી પર તેનો ઓટોગ્રાફ લેતા જાેવા મળ્યા હતા. હવે આ દરમિયાન અફઘાનિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝને પણ ધોની તરફથી ખાસ ભેટ મળી છે. અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ તરફથી આઈપીએલની આ સીઝનમાં ડેબ્યૂ કર્યું હતું. ટિ્વટર પર પોસ્ટ કરેલી તસવીરમાં જાેઇ શકાય છે કે ગુરબાઝે ચેન્નઈ સુપર કિંગ્સની સાત નંબરની…
Author: Shukhabar Desk
હોન્ડુરાસની એક મહિલા જેલમાં હૃદયને હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. મંગળવારે જેલમાં ૪૧ મહિલા કેદીઓના મોત થયા છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને બે ગેંગ વચ્ચેની હિંસામાં દાઝી જવાથી કેદીઓના મોત થયા છે. પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. હોન્ડુરાસની નેશનલ પોલીસ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તા યુરી મોરાએ સમગ્ર ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે. તેઓએ કહ્યું છે કે મોટાભાગની પીડિતો દાઝી ગઈ હતી. જ્યારે કેટલાકને ગોળી પણ વાગી છે. હોન્ડુરાસની રાષ્ટ્રીય પોલીસ તપાસ એજન્સીના પ્રવક્તા યુરી મોરાએ જણાવ્યું હતું કે પીડિતોમાંથી ૨૬ મહિલા કેદીઓ દાઝી જવાથી મોતને ભેટી હતી જ્યારે અન્યને ગોળી વાગી હતી. એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપતા કહ્યું કે…
ટેસ્લાના ફાઉન્ડર અને સીઈઓ એલન મસ્કે બુધવારે અમેરિકાના પ્રવાસે પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમ્યાન એલન મસ્કે ભારતના વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું કે, તે પણ પીએમ મોદીના ફેન છે, જે ભારત માટે સારુ કરવા માગે છે. ન્યૂયોર્કમાં પીએમ મોદી સાથેની આ બેઠક બાદ એલન મસ્કે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારતીય પ્રધાનમંત્રી હકીકતમાં ભારતની ખૂબ ચિંતા કરે છે અને ટેસ્લાને દેશમાં મહત્વપૂર્ણ રોકાણ માટે પ્રેરણા આપી રહ્યા છે. એલન મસ્કે કહ્યું કે, હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ વધારે ઉત્સાહિત છું. મને લાગે છે કે, દુનિયાના કોઈ પણ મોટા દેશની તુલનામાં ભારત પાસે વધારે સંભાવનાઓ…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમમાં ભાગે લેશે. ત્યાર બાદ બુધવાર સાંજે રાષ્ટ્રપતિ જાે બાઈડેન સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં છે. આ ૯ વર્ષમાં તેમનો પ્રથમ રાજકીય પ્રવાસ છે. ભારતના હિસાબથી કેટલાય મામલોમાં આ પ્રવાસ ખૂબ જ મહત્વનો સાબિત થશે. આ દરમ્યાન મહત્વની રક્ષા ડીલ પણ થવાની છે. પીએમ મોદી જેવા ન્યૂયોર્કમાં ઉતર્યા કે લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા. પીએમ બુધવારે યૂએન હેડક્વાર્ટરમાં યોજાનાર યોગ દિવસના ખાસ કાર્યક્રમની આગેવાની કરી. પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યુ કે, યોગ માટે કહેવાય છે કે, કર્મમાં કુશળતા જ યોગ છે. આઝાદીના અમૃતકાળમાં…
બિપરજાેય વાવાઝોડાથી ગુજરાતને થયેલા નુકશાનનો પ્રાથમિક અંદાજ સામે આવ્યો છે. સૌથી મોટું નુકશાન વીજ કંપનીઓને અને ખેડૂતોને થયું હોવાનું પ્રાથમિક અંદાજમાં જાણવા મળ્યું છે. વૃક્ષો ધરાશાયી થતાં પર્યાવરણ અને વન વિભાગને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. અસરગ્રસ્ત નાગરિકોને રૂ. ૧,૨૩,૮૨,૨૪૦ કેશડોલ્સ ચૂકવણી કરવામાં આવી છે. હજુ પણ ચૂકવણી કામગીરી પ્રગતિમાં હોવાનું રાજ્યના પ્રવકતા મંત્રીએ જણાવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, બિપરજાેય વાવાઝોડાના કારણે ગુજરાતમાં મીનીમમ લોસ થાય તે માટે રાજ્ય સરકારે ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે આગોતરું આયોજન કર્યું હતું. આ આયોજન અને સૌના સાથ સહકારથી આજે ગુજરાત આટલા ભયાવહ ચક્રવાત સામે બાથ ભીડી શક્યું છે.…
અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અમદાવાદ, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં રથયાત્રાની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી દમણમાં જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ દમણમાં ભગવાન જગન્નાથ ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રાએ નીકળ્યા હતા. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં દમણના લોકો સામાજીક અને ધાર્મિક અગ્રણીઓ પણ જાેડાયા હતા. દમણમાં નીકળેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ભજન કીર્તન અને ડીજેના તાલે ભક્તો રથયાત્રામાં જાેડાયા હતા. સાબરકાંઠાના ઇડરમા મોટા રામદ્રારા મંદીરથી ભગવાન જગન્નાથની…
રથયાત્રાના કડિયાનાકાના રૂટ પર બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં ૧નું મોત, ૨૨થી વધુને ઈજા શહેરમાં છેલ્લા એક મહિનાથી રથયાત્રાની તૈયારીઓ થઈ રહી હતી અને યાત્રાના રૂટ પર રહેલા જર્જરિત મકાનો અંગે અનેક વખત સવાલો ઉઠ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આજે રથયાત્રાના દરિયાપુરના કડિયાનાકાના રૂટ પર મકાનની બીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત થયું હતું જ્યારે ૩ બાળક સહિત ૨૨ લોકોને ઈજા પહોંચી હતી. તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાપ્ત વિગતો પ્રમાણે રથયાત્રા ચાલી રહી હતી તે દરમિયાન ટ્રકમાં બેઠેલા લોકો દર્શન કરવા ઉભેલા લોકોમાં પ્રસાદ નાખી રહ્યા હતા. જાેકે, તેમને પણ પ્રસાદ…
ગુજરાત સહિત ભારતમાં હાર્ટ એટેકના કેસ વધ્યા વર્ષ ૨૦૧૯માં ચીનમાં કોરોના વાયરસે દસ્તક આપી હતી. તેની શરૂઆત ચીનથી થઈ હતી પરંતુ ધીરે ધીરે આ વાયરસે આખી દુનિયાને ઘેરી લીધી. વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતમાં સ્થિતિ વધુ ખરાબ થતી જાેઈને લોકડાઉન લાદવું પડ્યું. ત્યારબાદ કોરોના રસી બનાવવાના પ્રયાસો શરૂ થયા અને ઘણા દેશોએ આ રોગનો તોડ શોધી કાઢ્યો, જેમાં ભારત પણ સામેલ છે. જાે કે, ૨૦૨૧ સુધીમાં સમગ્ર ભારતમાં લોકોને કોરોના રસી આપવાનું શરૂ થયું. જાે કે તેની સાથે હાર્ટ એટેકના કેસમાં પણ અચાનક વધારો જાેવા મળ્યો હતો, એટલે એવો સવાલ ઉભો થયો છે કે કોરોના રસીના કારણે હાર્ટએટેકનો ખતરો વધ્યો કે…
અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પર્વ. નગરજનોને દર્શન આવા માટે જગન્નાથ, ભ્રાતા બલરામ અને બહેન સુભદ્રા નવા રથમાં વિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. સમગ્ર યાત્રા દરમિયાન જય જગન્નાથના નાદ સાથે ઠેર-ઠેર યાત્રાને વધાવી લેવામાં આવી હતી. વહેલી સવારે શરૂ થયેલી યાત્રા રાત્રે રંગેચંગે નિજમંદિરે પહોંચી હતી. અમદાવાદની રથયાત્રા રંગેચંગે સંપન્ન થાય તે માટે સુરક્ષા સલામતી માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેના માટે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ ચાલી રહી હતી. રથયાત્રા માટે રાજ્યભરમાંથી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્ત માટે આવી ગયાહતા. પોલીસ પ્રથમ વખત એન્ટી ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. હિટ ટીમ અને ૩ડી મેપિંગ ટેક્નોલોજીથી પ્રથમ વખત…
ગેરકાયદે અમેરીકા જવા ઈચ્છતા લોકો માટે બોધપાઠ સમાન એક દર્દનાક ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના નરોડાના પટેલ દંપત્તિનુ અમેરીકા પહોંચતા પહેલા જ અપહરણ થઈ જાય છે. તેમજ પંકજકુમાર ભરતભાઈ પટેલ નામના આ યુવાનને ઉંધો સુવડાવી તેના પર બ્લેડના અસંખ્યા ઘા મારવામાં આવે છે. લોહી નિકળતી હાલતમાં આ યુવાન દર્દથી તડપી રહ્યો છે. રડતા રડતા પોતાના ભાઈને કહે છે કે, ભાઈ મુજે માર દેંગે…પૈસે ડાલો જલ્દી સે જલ્દી પૈસે ડાલો…મુજે માર દેંગે. આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થયો હતો. હવે આ ઘટનામાં અપહરણ કરાયેલ દંપત્તિને માત્ર ૨૪ કલાકમાં જ તહેરાનથી છોડાવી લેવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રવિવારની રાત્રે…