Author: Shukhabar Desk

મણિપુરમાં હાલમાં જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયી નથી. મણિપુરમાં હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી વિરોધ જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સોમવારે મોડી રાત્રે ગૃહ વિભાગે આપેલા નિવેદન પ્રમાણે મણિપુર સરકારે આસામ રાઈફલ્સ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે કે કેવી રીતે માત્ર બે દિવસમાં એટલે કે ૨૨ અને ૨૩ જુલાઈના રોજ ઓછામાં ઓછા ૭૧૮ મ્યાનમાર નાગરિકોને યોગ્ય પ્રવાસ દસ્તાવેજાે વગર ભારતમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી? સરકારે ચંદેલ જિલ્લાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષકને આ બાબતની તપાસ કરવા અને મ્યાનમારના નાગરિકોના બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ્સ રાખવાનો નિર્દેશ આપ્યો છે. મણિપુર સરકારનું આ નિવેદન…

Read More

ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ની ડેડલાઈન નક્કી કરી છે. જાે તમારી પાસે હજુ પણ ૨૦૦૦ રૂપિયાની નોટ હોય તો આને ડેડલાઈન પહેલા બેન્કોમાં જમા કરાવી દેજાે. કેમ કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન સરકાર લંબાવાની નથી. સંસદમાં કેટલાક સભ્યોએ સરકારને પૂછ્યુ કે શું ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવાની ડેડલાઈન લંબાવામાં આવશે. જેની પર નાણા મંત્રાલયે જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે ૧૯ મેના રોજ રિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયા પાછા મંગાવવાની જાહેરાત કરી હતી. ડેડલાઈનને લંબાવાની સ્થિતિને સ્પષ્ટ કરતા નાણા મંત્રાલયે કહ્યું કે ૨૦૦૦ રૂપિયાની નોટને જમા કરાવવાની અંતિમ તારીખ લંબાવાશે નહીં એટલે કે…

Read More

દેશમાં રેલવે ટ્રાન્સપોર્ટને સૌથી સુરક્ષિત અને સુવિધાજનક માનવામાં આવે છે. મોટા ભાગના લોકો પરિવહન માટે રેલવેનો ઉપયોગ કરે છે. જેમાં આજે કરોડો લોકોને મુશ્કેલી વેઠવી પડી કારણ કે આજે સવારથી જ આઈઆરસીટીસીસાઇટ અથવા એપ દ્વારા ટિકિટ બુકિંગ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ ટિ્‌વટ કરીને રેલવે પાસે આ સમસ્યાના સમાધાનની માંગની પણ કરી છે. આઈઆરસીટીસીદ્વારા આ અંગે લોકોને જવાબ પણ આપવામાં આવી રહ્યો છે. રેલવેના જવાબ પરથી જાણવા મળ્યું છે કે ટેકનીકલ સમસ્યાના કારણે આ અસુવિધા સર્જાઈ છે. રેલવે લોકોને આઈઆરસીટીસીના ચેટબોટ દિશાની મદદથી ટિકિટ બુક કરાવવાની અપીલ કરી રહી છે. પરંતુ જે લોકોએ આ કર્યું તેઓ…

Read More

સોમવારે પણ દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગાહી દર્શાવે છે કે ગુજરાતમાં વરસાદથી રાહત મળી શકે છે, પરંતુ ૧૨ રાજ્યો માટે ચોમાસું મુશ્કેલીમાં વધારો જ કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોનસૂન ટર્ફ સતત સક્રિય છે અને તે તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ છેડો ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાઈક્લોનિક સર્ક્‌યુલેશન પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર જાેવા મળી રહ્યું છે, જે દરિયાની સપાટીથી ૫.૮ થી ૭.૬ કિમીની ઉંચાઈ પર છે.…

Read More

રકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટમાં એક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે આજે જાહેર કર્યું છે કે, આઈડીઆરએક્ટ હેઠળ જારી કરાયેલા તમામ ઔદ્યોગિક લાઇસન્સ ત્રણ વર્ષની જગ્યાએ હવે ૧૫ વર્ષ માટે માન્ય ગણવામાં આવશે. ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ઉદ્યોગોને લાઇસન્સ આપવાની જાેગવાઈઓ કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઔદ્યોગિક લાઇસન્સની માન્યતા ત્રણ વર્ષથી વધારીને ૧૫ વર્ષ કરવામાં આવી રહી છે, જે અગાઉ જારી કરાયેલી તમામ પ્રેસ નોટ્‌સ રદ કરે છે. વેપારમાં સરળતા વધારવા માટે સંરક્ષણ ક્ષેત્ર માટે જારી કરાયેલા લાયસન્સની તર્જ પર આ પગલું લેવામાં આવ્યું…

Read More

સરકારે સ્પષ્ટતા કરી હતી કે લગ્ન કે જાનમાં ગીતો વગાડવા તે કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન ન ગણાય અને કોઈ પણ આવી પ્રવૃત્તિઓ માટે રોયલ્ટી ન ઉઘરાવી શકે. ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી)એ એક જાહેર નોટિસમાં કહ્યું કે અમને કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ની કલમ ૫૨ (૧)(ઝેડએ) ની ભાવનાથી વિપરિત લગ્ન-જાનમાં ગીતો વગાડવાને લઈને કોપીરાઈટ સોસાયટી વતી રોયલ્ટી લેવા વિશે સામાન્ય નાગરિકો અને અન્ય પક્ષો તરફથી અનેક ફરિયાદો મળી હતી. એક્ટની કલમ ૫૨ અમુક એવા કાર્યો સાથે સંકળાયેલી છે જેમાં કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન થતું નથી. ડીપીઆઈઆઈટીએ કહ્યું કે કલમ કલમ ૫૨ (૧)(ઝેડએ) ખાસ કરીને કોઈ ધાર્મિક સમારોહ કે સત્તાવાર સમારોહ દરમિયાન સાહિત્યક,…

Read More

છેલ્લા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી રણનીતિ બનાવાઈ રહી છે. આ રણનીતિ હેઠળ સૌથી મોટો મુદ્દો વિપક્ષી નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવાનો પણ છે. આ અભિયાનને સફળ બનાવવા કેન્દ્રથી લઈને ભાજપના દિગ્ગજ નેતાઓએ કામ પણ શરૂ કરી દીધું છે. ભાજપે પોતાની નક્કી કરેલી યોજના મુજબ ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને માનનારા પ્રદેશના તમામ મુખ્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવા મહાઅભિયાન શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભુપેન્દ્ર સિંહ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિવિધ પક્ષો સાથે જાેડાયેલા નેતાઓ ટુંક સમયમાં તેમની સાથે જાેડાવાના છે. આ જ…

Read More

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ વિપક્ષના સાંસદોએ સોમવારે સંસદની બહાર આખી રાત ધરણાં કર્યા હતા. મણિપુરમાં નગ્ન મહિલાઓની પરેડ સંબંધિત વાયરલ વીડિયોને લઈને દેશમાં માર્ગોથી લઈને સંસદ સુધી ભારે હોબાળો મચી ગયો છે. આપસાંસદ સોમવારે સંસદના સત્ર દરમિયાન બે મહિલાઓ સાથે થયેલી ર્નિદયતાના મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા. આ તોફાની સત્ર દરમિયાન સંજયે વેલમાં રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની ખુરશી સામે વિરોધ કર્યો અને તેમને હાથ બતાવીને કંઈક કહ્યું. આ કારણે તેમને સમગ્ર મોનસૂન સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ગૃહની કાર્યવાહી બાદ આપ નેતા સંજય સિંહે કહ્યું કે ગઈ રાત્રે અમે ગાંધી પ્રતિમાની સામે…

Read More

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે શનિવારે ત્રીજી અને અંતિમ વનડે રમાઈ હતી. આ અંતિમ વનડે મેચ ટાઈ થઇ હતી. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને આ મેચમાં અમ્પાયરના ર્નિણય પર ગુસ્સો આવ્યો હતો. અમ્પાયરે તેને એલબીડબલ્યુઆઉટ જાહેર કરી હતી. તે બાદ તેણે બેટ વડે જાેરથી સ્ટમ્પ પર માર્યું હતું. હરમનપ્રીતની આ હરકત પર બીસીસીઆઈએક્શન મોડમાં આવી ગઈ છે.ભારતીય મહિલા કેપ્ટન રમતના સાધનોને નુકસાન પહોંચાડવા અને અમ્પાયરોની ટીકા કરવા બદલ બે મેચના પ્રતિબંધનો સામનો કરી શકે છે, જેનો અર્થ એ થઈ શકે છે કે તે એશિયન ગેમ્સની શરૂઆતની મેચો નહી રમી શકે. હરમનપ્રીતને નાહિદા અખ્તરની બોલ…

Read More

સપ્તાહનો બીજાે કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે સામાન્ય રહ્યો. આજે બજારમાં ઘટાડો અટક્યો અને સપાટ સ્તરે બંધ થયું. અગાઉના બે કારોબારી દિવસમાં શેરબજારમાં આશરે ૧૨૦૦ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. આજે રોકાણકારોની સંપત્તિ ૩૦૨.૬૮ લાખ કરોડ થઈ છે, જે સોમવારના કારોબારી દિવસના અંતે રૂ. ૩૦૧.૯૩ લાખ કરોડ હતી. આજે દિવસની શરૂઆત વધારા સાથે થઈ હતી પરંતુ દિવસના અંતે માર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું. વોલેટાલિટીના કારણે આજે સેન્સેક્સ ૨૯.૦૭ પોઇન્ટના ઘટાડા સાથે ૬૬૩૫૫.૭૧ પોઇન્ટ અને નિફ્ટી ૮.૨૫ પોઇન્ટ વધારા સાથે ૧૯૬૮૦.૬૦ પોઇન્ટ પર બંધ રહ્યા. આજે ૧૬૮૬ શેર વધ્યા, ૧૭૫૪ શેર ઘટ્યા અને ૧૩૫ શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ…

Read More