એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના દિલ્હીમાં આવેલા નિવાસ પર હુમલો કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. ઓવૈસીના ઘરના દરવાજા પર લગાવેલા બે કાંચ તૂટેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે જ સોમવારે આ માહિતી આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે કાંચના ટુકડાં આજુબાજુ વિખેરાયેલાં મળ્યા હતા પરંતુ ત્યાં કોઈ પથ્થર કે કોઈ અન્ય ઘાતક વસ્તુ મળી આવી નહોતી. અધિકારીઓએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ઓવૈસીએ ફેબ્રુઆરીમાં પણ આરોપ મૂક્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના નિવાસ પર અજાણ્યા બદમાશોએ હુમલો કર્યો હતો અને દાવો કર્યો હતો કે ૨૦૧૪ બાદથી આ પ્રકારની ચોથી ઘટના હતી.