૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ગયા મહિને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના આધારે ભાજપની બેઠકોમાં ઘટાડો થવાનો અંદાજ છે. આ સર્વે CNX Survey જીેદિૃીઅ દ્વારા ઇન્ડિયા ગઠબંધનની રચના પછી આગામી લોકસભા ચૂંટણી માટે જનતાના મૂડને માપવા માટે કરવામાં આવ્યો હતો. જેના પરિણામો ચોંકાવનારા છે. સર્વેના આંકડા મુજબ પીએમ મોદી ત્રીજી વખત પણ વડાપ્રધાન બની શકે છે. જાે આમ થશે તો મોદી પંડિત જવાહરલાલ નેહરુ પછી સતત ત્રણ ટર્મ સુધી પીએમ બનવાના રેકોર્ડની બરાબરી કરશે. સર્વેમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને જબરદસ્ત બહુમતી મળવાની આશા છે. એનડીએ ગઠબંધન ૩૧૮ સીટો જીતી શકે છે. જ્યારે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને ૧૭૫ બેઠકો મળવાની ધારણા છે, જ્યારે અન્યને ૫૦ બેઠકો મળવાની ધારણા છે. વોટની ટકાવારીની વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનને ૨૪.૯ ટકા વોટ મળવાની ધારણા છે.
અન્ય પાસે ૩૨.૬ ટકા વધુ વોટ શેર હોવાનો અંદાજ છે. જ્યારે એકલા ભાજપને ૪૨.૫ ટકા વોટ મળી શકે છે. પોતાના દમ પર બેઠકો મેળવવાની વાત કરીએ તો કોંગ્રેસને ૬૬ બેઠકો જીતવાની આગાહી કરવામાં આવી છે જ્યારે ભાજપ પોતાના દમ પર ૨૯૦ બેઠકો જીતવાની ધારણા છે. જાે કે આ આંકડા મુજબ ભાજપ અને એનડીએ બંનેની સીટોમાં ઘટાડો થયો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એનડીએને ૩૫૩ બેઠકો મળી હતી, જ્યારે ભાજપ એકલા હાથે ૩૦૩ બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. જેના આધારે એનડીએને ૩૫ અને ભાજપને ૧૩ બેઠકોનું નુકસાન થવાની ધારણા છે. આ હિસાબે કોંગ્રેસની બેઠકો વધવાની ધારણા છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીને ૫૨ બેઠકો મળી હતી. તે દૃષ્ટિકોણથી આ વખતે દેશની સૌથી જૂની પાર્ટીને ૧૪ બેઠકો મળવાની ધારણા છે.