Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»HEALTH-FITNESS»કેન્સર સહિત બિમારી દુર થાય છે દુનિયાના સૌથી પાવરફુલ શાકભાજી કંકોડા છે
    HEALTH-FITNESS

    કેન્સર સહિત બિમારી દુર થાય છે દુનિયાના સૌથી પાવરફુલ શાકભાજી કંકોડા છે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કંકોડાના શાકભાજીમાં જરુરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન પ્રચૂર માત્રામાં હોય છે. કંકોડામાં ફ્લેવોનોઈડ્‌સ, આયરન, ઝિંક, પોટેશિયમ, અમીનો એસિડ અને કેટલીય અન્ય વસ્તુઓ સાથે વિટામિન સીની સારી એવી માત્રા હોય છે. જ્યારે તેમાં કેલોરીની માત્રા ઓછી હોય છે. આયુર્વેદમાં પણ આ શાકભાજીના અનેક ફાયદા ગણાવવામાં આવ્યા છે. શાકાહારી લોકો માટે તે ખૂબ જ સારો પ્રોટીનનો સ્ત્રોત હોય છે. આજે અમે આપને તેના પોષક તત્વો અને ફાયદા વિશે વાત કરીશું. એક્ટા હોર્ટિકલ્ચરના રિપોર્ટ અનુસાર, કંકોડાના ૧૦૦ ગ્રામ શાકમાં ૭.૭ ગ્રામ કાર્બોહાઈડ્રેટ, ૩.૧ ગ્રામ પ્રોટીન, ૩.૧ ગ્રામ ફૈટ, ૩.૦ ગ્રામ ફાઈબર અને ૧.૧ ગ્રામ મિનરલ્સ હોય છે. આ ઉપરાંત કંકોડામાં એસ્કોર્બિક એસિડ, કેરોટિન, થાયમિન, રાઈબોફ્લેવિન અને નિયાસિન જેવા જરુરી વિટામિન પણ જાેવા મળે છે. જાે આપ શાકાહાી છો અને પ્રોટીનની કમીથી ઝઝૂમી રહ્યા છો, તો કંકોડાના શાકાભાજી ડાયટમાં સામેલ કરો. કંકોડામાં તમામ અન્ય પોષક તત્વો પણ જાેવા મળશે, જે શરીરને મજબૂત બનાવવામાં આપને મદદ કરશે. આ શાકભાજીમાં ૮૦ ટકાથી વધારે પાણી હોય છે,

    જે લોકોને વજન કંટ્રોલ કરવામાં મદદ કરશે. મોટાપા અને ઓવરવેટથી પરેશાન લોકો માટે કંકોડાની શાકભાજી ખૂબ જ ફાયદો આપશે. કંકોડા ફાઈટોન્યૂટ્રિએંટ્‌સનો એક બહુ મોટો સ્ત્રોત છે. આ છોડમાં જાેવા મળતો એક પદાર્થ છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પદાર્થમાં વિવિધ બીમારીઓને રોકવામાં મદદ કરે છે. કંકોડા ચોમાસાની શાકભાજી છે, જે પોતાના એન્ટી એલર્જને અને એનાલ્ઝેસિક ગુણોના કારણે મૌસમી ખાંસી, શરદી અને અન્ય એલર્જીને દૂર રાખવામાં સહાયક થાય છે. આ શાકભાજી ડાયબિટિઝના દર્દીને બ્લડ શુગર ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. કંકોડામાં પ્લાન્ટ ઈંસુલિન પ્રચુર માત્રામાં હોય છે. તેમાં ફાઈબર અને પાણીની માત્રા ભરપૂર હોય છે.

    જેના કારણે ડાયાબિટિસના દર્દી માટે એક સારો વિકલ્પ છે. આ શાકભાજી ઈમ્યૂનિટી બૂસ્ટ કરી શકે છે. કંકોડાની શાકભાજીમાં લ્યૂટિન જેવા કેરોટીનોયડ આંખની બીમારીઓ, હ્‌દય રોગ અને ત્યાં સુધી કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. વિટામિન સી, એક પ્રાકૃતિક એન્ટીઓક્સીડેંટનો સ્ત્રોત હોવાના કારણે તે શરીરમાં વિષાક્ત મુક્ત કણોને હટાવે છે. જેનાથી કેન્સરની કોશિકાઓ ઓછી થઈ જાય છે. કંકોડાના શાકભાજીમાં ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કારણ કે તેમાં બીટા કેરોટીન, લ્યૂટિન અને જેક્સેન્થિન જેવા વિવિધ ફ્લેવોનોઈડ હોય છે. આ ફ્લેવોનોઈડ સુરક્ષાત્મક ક્લીનિંગ એજન્સ તરીકે કામ કરે છે. તેમાં એન્ટી એજિંગ ગુણ પણ હોય છે, જે આપની સ્કિનને યુવાન રાખવામાં મદદ કરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025

    India-Ghana relations:પીએમ મોદી ઘાના મુલાકાત

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.