Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»બંગાળની ખાડીમાં ૨ સિસ્ટમ સક્રિય થશે ગુજરાતમાં ૧૬ ઓગસ્ટ પછી મેઘરાજા તોફાની બેટિંગ કરશે
    Gujarat

    બંગાળની ખાડીમાં ૨ સિસ્ટમ સક્રિય થશે ગુજરાતમાં ૧૬ ઓગસ્ટ પછી મેઘરાજા તોફાની બેટિંગ કરશે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    USની હવામાન વિભાગની એજન્સીએ જણાવ્યું હતું કે અલ નીનોની ઈફેક્ટથી ભારતમાં ચોમાસા પર થોડી બ્રેક લાગી શકે છે. તેવામાં ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા ૧૦થી વધુ દિવસથી વરસાદી માહોલ છવાયેલો રહે છે પરંતુ ક્યાંય પડી રહ્યો નથી. ખેડૂતો અત્યારે ચોમાસાની રાહ જાેઈને બેઠા છે પરંતુ વરસાદ આવે અને ધોધમાર પડે એવી કોઈ સિસ્ટમ સક્રિય ન થઈ હોય એમ જણાઈ રહ્યું છે. જાેકે નિષ્ણાંતો અલગ તારણ કાઢી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે ૧૬થી ૧૮ ઓગસ્ટ દરમિયાન વરસાદ ફરીથી ધોધમાર ખાબકી શકે છે અને નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે વરસાદ હવે ક્યારે પડશે એ સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો છે.
    નોંધનીય છે કે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ હવે હળવાથી મધ્યમ વરસાદ રહેવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત દેશના પૂર્વ ભાગમાં વરસાદ ઘટે તો પશ્ચિમમાં ગતિવિધી વધી શકે છે. જાેકે ધોધમાર વરસાદ તો ૨૬ ઓગસ્ટ પછી પડી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.

    નિષ્ણાંતોએ જણાવ્યું કે ૧૬થી ૧૮ ઓગસ્ટ વચ્ચે ધોધમાર વરસાદ પડી શકે. જાેકે ત્યારપછી ફરીથી મેઘરાજા બ્રેક મારી શકે છે અને ત્યારપછી ૨૬ ઓગસ્ટથી ફરી ધોધમાર વરસાદ ખાબકી શકે છે. નોંધનીય છે કે બંગાળની ખાડીમાં પણ આ દરમિયાન પ્રેશર સર્જાશે અને જેની સીધી અસર ગુજરાતમાં પણ થશે. અહીં વરસાદ ધોધમાર પડી શકે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.
    પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જ્યોતિષોએ જણાવ્યું છે કે ૧૭ ઓગસ્ટથી મઘા નક્ષત્ર થશે જેના કારણે વરસાદ પણ ધોધમાર થશે અને સારો પાક થાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ૨૭થી ૧૦ ઓક્ટોબર વચ્ચે વરસાદ પડશે અને ત્યારપછીથી ચોમાસુ ગુડબાય કહી દે એવી માહિતી મળી રહી છે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.