USની હવામાન વિભાગની એજન્સીએ જણાવ્યું હતું કે અલ નીનોની ઈફેક્ટથી ભારતમાં ચોમાસા પર થોડી બ્રેક લાગી શકે છે. તેવામાં ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા ૧૦થી વધુ દિવસથી વરસાદી માહોલ છવાયેલો રહે છે પરંતુ ક્યાંય પડી રહ્યો નથી. ખેડૂતો અત્યારે ચોમાસાની રાહ જાેઈને બેઠા છે પરંતુ વરસાદ આવે અને ધોધમાર પડે એવી કોઈ સિસ્ટમ સક્રિય ન થઈ હોય એમ જણાઈ રહ્યું છે. જાેકે નિષ્ણાંતો અલગ તારણ કાઢી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે ૧૬થી ૧૮ ઓગસ્ટ દરમિયાન વરસાદ ફરીથી ધોધમાર ખાબકી શકે છે અને નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે વરસાદ હવે ક્યારે પડશે એ સવાલ દરેકના મનમાં ઉઠી રહ્યો છે.
નોંધનીય છે કે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ હવે હળવાથી મધ્યમ વરસાદ રહેવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત દેશના પૂર્વ ભાગમાં વરસાદ ઘટે તો પશ્ચિમમાં ગતિવિધી વધી શકે છે. જાેકે ધોધમાર વરસાદ તો ૨૬ ઓગસ્ટ પછી પડી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.
નિષ્ણાંતોએ જણાવ્યું કે ૧૬થી ૧૮ ઓગસ્ટ વચ્ચે ધોધમાર વરસાદ પડી શકે. જાેકે ત્યારપછી ફરીથી મેઘરાજા બ્રેક મારી શકે છે અને ત્યારપછી ૨૬ ઓગસ્ટથી ફરી ધોધમાર વરસાદ ખાબકી શકે છે. નોંધનીય છે કે બંગાળની ખાડીમાં પણ આ દરમિયાન પ્રેશર સર્જાશે અને જેની સીધી અસર ગુજરાતમાં પણ થશે. અહીં વરસાદ ધોધમાર પડી શકે એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે જ્યોતિષોએ જણાવ્યું છે કે ૧૭ ઓગસ્ટથી મઘા નક્ષત્ર થશે જેના કારણે વરસાદ પણ ધોધમાર થશે અને સારો પાક થાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ૨૭થી ૧૦ ઓક્ટોબર વચ્ચે વરસાદ પડશે અને ત્યારપછીથી ચોમાસુ ગુડબાય કહી દે એવી માહિતી મળી રહી છે