Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આદિપુરૂષમાં પાત્રોના લૂકને લઈને પણ વિવાદ રાવણના પાત્ર માટે સૈફઅલી નહીં અજય દેવગણ ફર્સ્ટ ચોઈસ હતો
    India

    આદિપુરૂષમાં પાત્રોના લૂકને લઈને પણ વિવાદ રાવણના પાત્ર માટે સૈફઅલી નહીં અજય દેવગણ ફર્સ્ટ ચોઈસ હતો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ ચારે બાજુથી ચર્ચામાં છે. રિલીઝ બાદથી ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ છે. તેના પર પ્રતિબંધ લાદવાની માંગ પણ કરવામાં આવી રહી છે. આ મામલો પીએમ મોદી અને હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. જાેકે, ફિલ્મ પર પ્રતિબંધ પર કોઈ ર્નિણય નથી આવ્યો.
    ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને લઈને જેટલો વિવાદ થયો એટલી જ વધારે પ્રથમ ૩ દિવસમાં કમાણી પણ કરી લીધી છે. ત્રણ દિવસમાં જ ફિલ્મે વર્લ્ડવાઈડ ૩૪૦ કરોડનો બિઝનેસ કરી લીધો હતો. પરંતુ મન્ડે ટેસ્ટમાં ફિલ્મ ફેલ થઈ ગઈ છે. ફિલ્મના ડાયલોગ ઉપરાંત તેના પાત્રોના લુક પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સૈફ અલી ખાનના લુકની દર્શકોએ ખાસ કરીને ટીકા કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મમાં રાવણના રોલ માટે સૈફ પહેલી પસંદ નહોતો. વાસ્તવમાં મેકર્સ પ્રભાસની સામે રાવણના રોલમાં અન્ય એક અભિનેતાને કાસ્ટ કરવા માંગતા હતા. અહેવાલ પ્રમાણે આદિપુરુષના નિર્માતાઓએ આ રોલ માટે પહેલા અજય દેવગનનો સંપર્ક કર્યો હતો.
    મેકર્સની ઈચ્છા હતી કે, અજય દેવગણ જ રાવણનો રોલ નિભાવે પરંતુ અજય ન માન્યો. અજયે બિઝી શેડ્યૂલનો હવાલો આપતા આદિપુરુષમાં રોલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. જાેકે, મેકર્સ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં નથી આવી કે, અજય તેમની પહેલી પસંદ હતો અને તેણે કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો. અજય દેવગણ અગાઉ પણ ઓમ રાઉત સાથે કામ કરી ચૂક્યા છે. ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ માં અજયના નિર્દેશક ઓમ રાઉત જ હતા. આ ફિલ્મ સુપરહિટ પણ રહી હતી. અજય દેવગણને તેના માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો અને આ ફિલ્મે તાબડતોડ કમાણી પણ કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.