Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમશે શુભમન ?
    Cricket

    શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમશે શુભમન ?

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે અમદાવાદમાં મેચ રમાશે. વર્લ્ડ કપ ૨૦૨૩ની આ મેચની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો ઓપનર શુભમન ગિલ પ્રથમ બે મેચમાં રમી શક્યો નહોતો. ડેન્ગ્યુના કારણે તે બહાર રહ્યો હતો. પરંતુ હવે તેઓ અમદાવાદ પહોંચી ગયો છે. જાેકે, હાલમાં શુભમનના રમવા અંગે કોઈ માહિતી સામે આવી નથી. શુભમન ગિલ બુધવારે રાત્રે ચેન્નઈથી અમદાવાદ પહોંચ્યો હતો. પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં તેના રમવા અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જાે ગિલ ફિટ થશે તો તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.

    ભારતીય ટીમે વર્લ્ડ કપ ૨૦૨૩ની પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં રમી હતી. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું કે ગિલના પ્લેટલેટ કાઉન્ટ ઓછા હતા. આ કારણોસર તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે દિલ્હી ગયો ન હતો. તે સીધો અમદાવાદ પહોંચી ગયો છે. પરંતુ તેઓ પહેલા કરતા સ્વસ્થ અનુભવી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબરે મેચ રમાવાની છે. શુભમન ગિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે માસ્ક પહેરીને સુરક્ષા કર્મચારીઓ સાથે અમદાવાદ એરપોર્ટમાંથી નીકળતો જાેવા મળી રહ્યો છે. ગિલ ઉપરાંત પાકિસ્તાનની ટીમ પણ અમદાવાદ પહોંચી ગઈ છે. બુધવારે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે મોટી જીત હાંસલ કરી અને હવે ભારતીય ખેલાડીઓ પણ અમદાવાદ પહોંચશે. ગિલ એરપોર્ટ પર એકદમ નોર્મલ દેખાતો હતો અને એવું લાગતું હતું કે તે ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે.

    હવે તેણે મેચ માટે ફિટનેસ મેળવવી પડશે. પાકિસ્તાન સામેની મેચમાં તે રમશે તેવી પૂરી આશા છે. ડેન્ગ્યુમાંથી સાજા થવામાં સામાન્ય રીતે એક સપ્તાહનો સમય લાગે છે. ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચશે જ્યારે પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ પહોંચી હતી. અગાઉ ભારતીય ઓપનર શુભમન ગિલ પણ અમદાવાદ પહોંચી ચૂક્યો છે. ભારતીય ટીમ ૈં્‌ઝ્ર નર્મદા હોટેલમાં રોકાશે. ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદમાં સચિન તેંડુલકર, રજનીકાંત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજાે હાજર રહેશે. મેચ પહેલા બૉલિવૂડના સિંગર અરિજીત સિંહ પરફોર્મ કરશે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Ind vs SL Women’s Tri Series Final: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત ક્રિકેટના મેદાન પર ચેમ્પિયન બનવા ઉતરશે, ફાઇનલમાં શ્રીલંકા સાથે ટક્કર

    May 10, 2025

    IPL 2025: વૈભવ સૂર્યવંશી પછી ભારતને મળ્યો બીજો 14 વર્ષનો ચમકતો તારો, બેવડી સદી ફટકારી

    May 6, 2025

    IPL 2025: ઇન્ડિયન આઇડલના ગાયકથી IPLના અમ્પાયર સુધી: 17 વર્ષમાં અદભૂત સફર

    May 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.