શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે કોઈએ તમને વોટ્સએપ મેસેજ મોકલ્યો હોય અને તમે તેનો જવાબ આપવાનું ભૂલી ગયા હો? ઘણી વખત આપણે વિચારીએ છીએ કે થોડા સમય પછી જવાબ આપીશું પણ પછી ભૂલી જઈએ છીએ. આવી સ્થિતિમાં આપણે વિચારીએ છીએ કે જો આપણે જવાબ ન આપીએ તો તે વ્યક્તિ આપણા વિશે શું વિચારશે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે WhatsApp એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જે તમને જવાબ આપવાનું યાદ અપાવશે.
ભારતમાં કરોડો લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. વોટ્સએપનું નવું ફીચર તમને મહત્વપૂર્ણ લોકોને જવાબ આપવાનું યાદ અપાવશે. આ એપ તમને અનસીન મેસેજ અને અનસીન સ્ટેટસ અપડેટ વિશે માહિતી આપે છે. હવે વોટ્સએપ દ્વારા પણ રિપ્લાય કરવાની માહિતી મળશે. ચાલો જાણીએ આ ફીચર વિશે.
એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર રિલીઝ
વોટ્સએપના નવા ફીચર્સ અને અપડેટ્સ પર નજર રાખતા પોર્ટલ Wabitinfoના રિપોર્ટ અનુસાર, રિપ્લાય રિમાઇન્ડર ફીચર બીટા ટેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું છે. તેને WhatsAppના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.0.25.29 પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વર્ઝનમાં, જો લોકો મેસેજ અથવા સ્ટેટસ અપડેટ ભૂલી જાય તો નોટિફિકેશન એલર્ટ મળશે.
આ રીતે કામ કરશે નવું ફીચર
આ ફીચર વોટ્સએપના ઈન્ટરનલ એલ્ગોરિધમ પર કામ કરે છે. તમે કોની સાથે સૌથી વધુ સંપર્ક કરો છો તેના પર તે નજર રાખે છે. આ રીતે, આ ફીચર તે લોકો વિશે સૂચના આપશે જેની સાથે તમે નજીકના સંપર્કમાં છો. તેની યાદીમાં તાજેતરમાં સંપર્ક કરાયેલ લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
WhatsApp આ ડેટાને સ્થાનિક રીતે સ્ટોર કરશે. હાલમાં આ ફીચર માત્ર બીટા ટેસ્ટર્સ યુઝર્સ માટે જ બહાર પાડવામાં આવ્યું છે. ફક્ત એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ જ તેનો ઉપયોગ કરી શકે છે. પરીક્ષણ પૂર્ણ થયા પછી, આ સુવિધા દરેક માટે રિલીઝ કરી શકાય છે. જોકે, વોટ્સએપે આ ફીચરની સત્તાવાર પુષ્ટિ કરી નથી.