Vastu Tips: બાળકોના સ્ટડી રૂમનો કલર કેવો હોવો જોઈએ?
વાસ્તુ ટિપ્સ: વાસ્તુનો આપણા જીવન પર ખૂબ પ્રભાવ પડે છે. જો તમે પણ બાળકો માટે રૂમ બનાવી રહ્યા છો, તો બાળકોના સ્ટડી રૂમમાં રંગો પર ચોક્કસ ધ્યાન આપો. વાસ્તુ અનુસાર કયા રંગો શુભ માનવામાં આવે છે?
Vastu Tips: બાળકો માટે અભ્યાસ ખંડ બનાવતી વખતે, માતાપિતા ખૂબ કાળજી રાખે છે કે વાસ્તુ શાસ્ત્ર મુજબ કયા રંગનો ઉપયોગ કરવો જોઈએ જેથી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે.
ફક્ત સારા પુસ્તકો રાખવાથી એ નહિ કહી શકાય કે બાળકનો મન વાંચવામાં લાગશે કે નહીં, પણ વસતુશાસ્ત્ર પણ ખૂબ અસરકારક સાબિત થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર બાળકોના રૂમનો રંગ કયો હોવો જોઈએ?
- વાસ્તુ અનુસાર, બાળકોના રૂમનો કલર હળવો લીલો, હળવો વાદળી કે હળવો પીળો હોવો જોઈએ.
- આ તમામ રંગો બાળકોના માટે યોગ્ય માનવામાં આવ્યા છે. એ બધાં રંગો ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે.
- બાળકોના રૂમનો રંગ હળવો રાખવો જોઈએ જેથી તેમનો મન શાંત રહે અને તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે.
- લીલો રંગ બુદ્ધિના દેવતા ગણેશજી સાથે સંકળાયેલો છે, એટલે બાળકોના રૂમ માટે એ યોગ્ય માનવામાં આવે છે.
- પીળો રંગ વિદ્યા અને જ્ઞાન માટે અનુરૂપ છે. તે વિદ્યા અને ઉજાસનો પ્રતિક છે, જ્યારે લીલો રંગ શાંતિ અને પ્રકૃતિનો પ્રતિક છે.