US Liquor
ભારતની દારૂ લોબીએ યુએસ બોર્બોન વ્હિસ્કી પરના ટેરિફ ઘટાડાનો વિરોધ કર્યો છે. તેમનો દાવો છે કે ટેરિફ ઘટાડવાથી અમેરિકન વાઇન ભારતમાં ડમ્પ થશે, જે ભારતના વાઇન ઉદ્યોગને બરબાદ કરશે. ભારતીય આલ્કોહોલિક બેવરેજ કંપનીઓના કન્ફેડરેશને રાજ્ય સરકારોને બોર્બોન વ્હિસ્કી પર રાજ્ય સ્તરની કર છૂટછાટો રદ કરવાની માંગ કરી છે.
ભારતના દારૂ ઉદ્યોગને બચાવવા માટે આ જરૂરી ગણાવવામાં આવ્યું છે. સંસ્થાના ડાયરેક્ટર જનરલ અનંત એસ. ઐયરે પણ ભારત સરકારને આ દિશામાં યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. ખાસ કરીને, ભારતીય દારૂના વિદેશમાં વેચાણનો માર્ગ મોકળો કરવા માટે પ્રયાસો કરવા તાકીદ કરવામાં આવી છે.
ભારત સરકારે બોર્બોન વ્હિસ્કી પરનો ટેરિફ ૧૫૦ ટકાથી ઘટાડીને ૧૦૦ ટકા કર્યો છે. ઉપરાંત, ઘણા પ્રકારના વાઇન પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. તાજા દ્રાક્ષ, વર્માઉથ અને કેટલાક અન્ય આથોવાળા પીણાંમાંથી બનેલા વાઇન પરની આયાત ડ્યુટી પણ ઘટાડીને 100 ટકા કરવામાં આવી છે.
બોર્બોન વ્હિસ્કી પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 50 ટકા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, તેના પર ૫૦ ટકા કૃષિ સેસ પણ વસૂલવામાં આવશે. બોર્બોન વ્હિસ્કી અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે ઓછામાં ઓછા 51 ટકા મકાઈનો ઉપયોગ થાય છે. ગયા વર્ષે, બોર્બોનની બે ટેરિફ લાઇનની આયાત લગભગ $2.6 મિલિયનની હતી, જ્યારે યુએસમાંથી આયાત $0.8 મિલિયનની હતી. ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચેની બેઠકના થોડા કલાકો પહેલા આયાત ડ્યુટીમાં આ ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં, મોટાભાગની ચર્ચા ટેરિફ પર હતી.