Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»UPS: સરકારી કર્મચારી જ નહીં તમામ ભારતીયો માટે નવી પેન્શન સ્કીમ લાવી શકે છે સરકાર, જાણો કયા ફાયદા થશે
    Business

    UPS: સરકારી કર્મચારી જ નહીં તમામ ભારતીયો માટે નવી પેન્શન સ્કીમ લાવી શકે છે સરકાર, જાણો કયા ફાયદા થશે

    SatyadayBy SatyadayFebruary 27, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    UPS

    સરકાર નવી યુનિવર્સલ પેન્શન યોજના પર કામ કરી રહી છે. અસંગઠિત ક્ષેત્ર (Unorganised Sector)સહિત તમામ ભારતીયોને આ પેન્શન યોજનાનો લાભ મળશે. હાલમાં, બાંધકામ સાથે સંકળાયેલા કામદારો, ઘરેલું કર્મચારીઓ અને રોજમદાર જેવા અસંગઠિત ક્ષેત્રના લોકો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મોટી બચત યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. એવામાં હવે શ્રમ મંત્રાલયના સૂત્રોના હવાલાથી મળતી જાણકારી અનુસાર આ નવી યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ તમામ પગારદાર કર્મચારીઓ અને વ્યવસાય કરતા લોકોને મળશે.

    હાલની પેન્શન યોજનાઓથી કેવી રીતે અલગ છે?

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યોજના હાલના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)થી અલગ છે, કારણ કે નવી યોજનામાં, સરકાર વિવિધ પ્રકારની યોજનાઓને જોડીને એક યુનિવર્સલ યોજના બનાવી શકે છે. આને સ્વૈચ્છિક ધોરણે કોઈપણ નાગરિક માટે સલામત વિકલ્પ તરીકે જોઈ શકાય છે. આથી સૂત્રો અનુસાર યુનિવર્સલ પેન્શન યોજનાના કારણે નેશનલ પેન્શન યોજના પર કોઈ અસે નહિ થાય.

    નવી યોજના સ્વૈચ્છિક હશે, એટલે કે કોઈપણ વ્યક્તિ તેમાં જોડાઈ શકે છે, પછી ભલે તેની પાસે નોકરી હોય કે ન હોય. આ સાથે, અસંગઠિત ક્ષેત્રના લોકો, જેમ કે નાના વેપારીઓ, સ્વરોજગાર ધરાવતા લોકો પણ આ યોજનામાં ભાગ લઈ શકશે.

    તેમજ આ યોજનામાં, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PM-SYM) અને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS-Traders) જેવી વર્તમાન પેન્શન યોજનાઓને મર્જ કરી શકાય છે. આ યોજનાઓ નિવૃત્તિ પછી ₹3,000 નું માસિક પેન્શન આપે છે, જેમાં ₹55 થી ₹200 સુધીના યોગદાન છે, અને સરકાર પણ સમાન રકમનું યોગદાન આપે છે.

    આ નવા માળખામાં અટલ પેન્શન યોજના (APY)નો સમાવેશ કરવાની શક્યતા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (BoCW) એક્ટ હેઠળ એકત્ર કરાયેલા સેસનો ઉપયોગ બાંધકામ કામદારોના પેન્શનને નાણાં આપવા માટે પણ વિચારી રહી છે.

    UPS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    EMI Trap in India: મધ્યમ વર્ગે લીધેલી લોનનું ભારણ બન્યું જીવન માટે જોખમ, નિષ્ણાતોની ચેતવણી

    July 7, 2025

    Trump Tariff On 100 Countries: ભારત પણ દબાણમાં, નિકાસ પર અસર થવાની શકયતા

    July 6, 2025

    BlackRock CEO: અમેરિકાની અડધી સંપત્તિ સંભાળતો માણસ, છતાં અબજોપતિની યાદીમાં કેમ નથી?

    July 6, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.