Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૧ નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમ CBIC તમામ કારોબારીઓ ઉપર લાગૂ કરી શકે છે
    India

    ૧ નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમ CBIC તમામ કારોબારીઓ ઉપર લાગૂ કરી શકે છે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મોટો કારોબાર કરતી કંપનીઓ માટે જીએસટી અંગે નવું અપડેટ આવ્યું છે. કંપનીઓએ એક નવેમ્બરથી માલ અને સેવા કર (GST) સંબંધિત રસીદોને પોર્ટલ પર ૩૦ દિવસની અંદર ‘અપલોડ’ કરવાની રહેશે. આ જાેગવાઈ ૧૦૦ કરોડ રૂપિયા કે તેથી વધુનો કારોબાર કરનારી કંપનીઓ પર લાગૂ થશે.

    જીએસટીના ઈ રસીદ પોર્ટલનું સંચાલન કરનારી નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) એ એક ભલામણમાં જીએસટી ઓથોરિટીના આ ફેસલાની જાણકારી આપી. જે મુજબ ઓથોરિટીએ રસીદ જારી થવાની તારીખથી ૩૦ દિવસની અંદર તેને પોર્ટલ પર અપલોડ કરવાનું કહ્યું છે. આ સમયમર્યાદા ૧૦૦ કરોડ રૂપિયા કે તેનાથી વધુના વાર્ષિક કારોબારવાળા કરદાતાઓ પર લાગૂ થશે. આ વ્યવસ્થા એક નવેમ્બર ૨૦૨૩થી લાગૂ થઈ જશે. એએમઆરજી એન્ડ એસોસિએટ્‌સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને કહ્યું કે આ વ્યવસ્થા સુચારુ રીતે લાગૂ થવાની સ્થિતિમાં CBIC તેને આગળ જઈને બધા જીએસટી કરદાતાઓ માટે લાગૂ કરી શકે છે.

    અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર તરફથી એક સપ્ટેમ્બરથી મેરા બિલ મેરા અધિકાર યોજના શરૂ કરાઈ છે. આ યોજના હેઠળ દર મહિને સરકાર ૮૦૦ લોકોને પસંદ કરશે. આ એ ૮૦૦ લોકો હશે જે દ ર મહિને પોતાનું જીએસટી બિલ ઓનલાઈન અપલોડ કરશે. આ ૮૦૦ લોકોને ૧૦ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જ્યારે ૧૦ એવા લોકો પણ પસંદ કરાશે જેમને સરકાર ૧૦ લાખ રૂપિયાની રકમ આપશે. યોજના હેઠળ એક કરોડનું બંપર ઈનામ ત્રિમાસિક આધારે કાઢવામાં આવશે. આ ઈનામ બે લોકોને આપવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    BJP: કેરળમાં રાજકીય તણાવ? ભાજપ કાર્યકર્તાના વાહનને આગ લગાવવામાં આવી, CCTVમાં શંકાસ્પદ લોકો દેખાયા

    December 1, 2025

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.