Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહિલાને હાલમાં છ મહિનાનો ગર્ભ છે હમાસના હુમલામાં પતિ અને બાળક સાથે બચી પ્રેગ્નેન્ટ ભારતીય મહિલા?
    India

    મહિલાને હાલમાં છ મહિનાનો ગર્ભ છે હમાસના હુમલામાં પતિ અને બાળક સાથે બચી પ્રેગ્નેન્ટ ભારતીય મહિલા?

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 13, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હાલમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. હમાસે હુમલો કર્યા બાદ ઈઝરાયલે પણ તેને જડબાતોડ જવાબ આપ્યો છે. ઈઝરાયલમાં ભારતીયો પણ મોટા પ્રમાણમાં રહે છે પરંતુ હાલમાં તમામ ભારતીયો સુરક્ષિત છે. જાેકે, હમાસના હુમલા વખતે એક ભારતીય કપલ અને તેનું બાળક માંડમાંડ બચી ગયું હતું. ૨૦૨૦માં લગ્ન કર્યા બાદ ૩૦ વર્ષીય જયદીપ કૌર અને તેમના ૩૨ વર્ષીય મોહિત રંધાવા ઈઝરાયલ આવ્યા હતા. પરંતુ તેમણે અગાઉ ક્યારેય સતત સાઈરનના અવાજાે સાંભળ્યા ન હતા. હમાસે હુમલો કર્યો ત્યારે તેઓ કેવી પરિસ્થિતિમાં હતા તે અંગે જયદીપ કૌરે જણાવ્યું હતું. જયદીપ કૌર તેલ અવીવમાં રહે છે અને હાલમાં તેમને છ મહિનાનો ગર્ભ છે.

    તેમણે જણાવ્યું હતું કે બંકરના કારણે તેઓ સુરક્ષિત રહી શક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબરે ૬.૩૦ વાગ્યે ધ્રુજાવી દે તેઓ અવાજ સંભળાયો હતો અને અમે ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા. એક પણ સેકન્ડ ગુમાવ્યા વગર અમે અમારું ઘર છોડીને નજીકમાં આવેલી યુનિવર્સિટી કેમ્પસના શેલ્ટરમાં જતાં રહ્યા હતા. કૌરે કહ્યું હતું કે, શેલ્ટરમાં જતી વખતે તેઓ ફક્ત થોડો નાસ્તો અને એકદમ શક્ય તેટલો ઓછો સામાન લઈ શક્યા હતા. તેમણે કહ્યું હતું કે, મને બાદમાં ખબર પડી કે અમારા પર બોમ્બ અને રોકેટનો વરસાદ થયો હતો પરંતુ અમે જ્યાં હતાં તે અભેદ્ય બંકર હતું અને તેના કારણે અમે સુરક્ષિત રહી શક્યા હતા. તે બંકરમાં અમે કુલ ૫૦ લોકો હતા. કૌર તેમના પતિ અને ત્રણ વર્ષની પુત્રી સાથે ગાઝા પટ્ટીથી લગભગ ૭૪ કિમી દૂર દક્ષિણ ઈઝરાયલના એસડી બોકરમાં ફસાયેલા છે. કૌર ૧૨ ઓક્ટોબરના રોજ ઉત્તર પ્રદેશના અમરોહામાં તેના માતાપિતાના ઘરે બાળકની ડિલિવરી માટે ભારતની ફ્લાઈટમાં જવાના હતા. પરંતુ હમાસા હુમલા અને ત્યારબાદ ઊભી થયેલી પરિસ્થિતિના કારણે તેની યોજનાઓ પર પાણી ફરી ગયું છે.

    હવે તેઓ આગળ શું થશે તેની રાહ જાેઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સદનસીબે અમે જ્યાં હતા તે બંકરમાં વાઈ-ફાઈ હતું જેના કારણે અમે ભયાનક હુમલાના વિડીયો અને સમાચાર જાેઈ શક્યા હતા. જાેકે, મારી ગર્ભાવસ્તાને જાેતાં મને તણાવ અને ટેન્શનથી દૂર રાખવા માટે મારા પતિએ મારી પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. બાદમાં મને ફક્ત વેબસીરિઝ જાેવા માટે જ ફોન આપ્યો હતો. તેમણે મને કોઈ જ ન્યૂઝ ન જાેવાનું કહ્યું હતું. અમે પ્રાર્થના કરીએ છીએ કે બધું બરાબર થઈ જાય અને અમે ઝડપથી ભારતમાં અમારા પરિવારને મળી શકીએ. અમે તેમની સાથે ફોન કે વોટ્‌સએપ પર સંપર્કમાં રહી શકતા નથી. હાલમાં અહીં ફક્ત ફેસટાઈમ વિકલ્પ જ ઉપલબ્ધ છે. બીજી તરફ અમરોહામાં જયદીપ કૌરના પરિવારમાં પણ ટેન્શનનું વાતાવરણ છે કેમ તે તેઓ ત્રણ દિવસથી તેમની સાથે સંપર્ક કરી શક્યા નથી.

    તેમના પિતા સુરેન્દ્ર સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે, મંગળવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઘણા પ્રયાસો બાદ મારી પુત્રી અને જમાઈ સાથે સંપર્ક કરી શક્યો હતો. હાલમાં તેઓ સુરક્ષિત છે તે સાંભળીને અમને ઘણી રાહત થઈ છે. હું ભારત સરકારને વિનંતી કરું છું કે તેઓ યુદ્ધમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીત બહાર લાવે. જયદીપ કૌરના પતિ મોહિત રંધાવાએ આઈઆઈટી રૂરકીમાંથી અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ તેલ અવીવમાં ઝુકરબર્ગ ઈન્સ્ટિટ્યુટ ફોર વોટર રિસર્ચ ખાતે ડેઝર્ટ રિસર્ચ માટે જેકોબ બ્લાસ્ટિન ઈન્સ્ટિટ્યુટ સાથે જાેડાયેલા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.