Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ
    Gujarat

    રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 27, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભાવનગર શહેરમાં રખડતા ઢોરે વધુ એક નિર્દોષનો જીવ લીધો છે. શુભમ ડાભી નામનો યુવાન પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ઘોઘા રોડ ચકુ તલવાડી પાસે સાંઢે બાઈક ચાલકને અડફેટે લીધો. જેથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને ૧૦૮ની મદદથી સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ભાવનગર શહેરમાં વારંવાર રખડતા ઢોરના હુમલાથી ઘટનાઓથી લોકોમાં પણ ભારે રોષનો માહોલ છે. વડોદરામાં રખડતા શ્વાનના કારણે અકસ્માત સર્જાતા પૂર્વ ખેલાડીનું મોત થયું છે. ૪૧ વર્ષીય નિલેશ સપકાલ ખાનગી બેંકમાં રિકવરી એજન્ટની નોકરી કરતા હતા અને કાયાવરોહણથી ડભોઇ બાઇક પર જતા સમયે શ્વાન આડે આવતા અકસ્માત સર્જાતા મોત થયું હતું. નિલેશ સપકાલ ખો-ખોના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી પણ હતા. અમદાવાદમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર નિયંત્રણ પોલિસીના અમલ અંગે ર્નિણય લેવામાં આવ્યો. ભાવમાં સુધારા વધારા સાથે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે.

    આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર અંગે પોલિસીની અમલવારી અંગે જાહેરાત કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત જે માહિતી સામે આવી છે તે પ્રમાણે હવે વ્યક્તિગત પશુ ધરાવનાર માલિકોએ પણ ઢોરની નોંધણી કરાવવાની રહેશે. વ્યવસાયિક ઉદ્દેશ માટે રાખવામાં આવતા ઢોરની પરવાનગી લેવાની આવશ્યક રહેશે. ગાય, ભેંસ અને બળદને છોડાવવા માટે ૩૦૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. સાથે ખોરાકનો ચાર્જ અને વહીવટી ચાર્જ લેખે ૧૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. તો બીજી તરફ પાડી અને પાડો બંનેને છોડાવવા માટે ૨૦૦૦ ચૂકવવાના રહેશે. તેની સાથે ખોરાકના અને વહીવટી ચાર્જ લેખે ૬૦૦ રૂપિયા વસુલવામાં આવશે. વાછડા અને ધાવતા વાછડા માટે ૧૦૦૦ રુપિયા ચૂકવવાના રહેશે. જાે કોઈ એકનું એક ઢોર ત્રણ વખત કરતા વધુ વખત પકડાશે તો ત્રણ વર્ષ માટે લાયસન્સની ફી ૫૦૦ રૂપિયા ચૂકવવી પડશે. ઢોર રાખવાની પરમીટ ફી ૨૫૦ રૂપિયા રાખવામાં આવી છે. લાયસન્સ રીન્યુ કરવા માટે ૨૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.