Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»રેલવે બોર્ડે એક મોટો ર્નિણય કર્યો રેલ અકસ્માત પીડિતોને અપતા વળતરમાં ૧૦ ગણો વધારો કરાયો
    India

    રેલવે બોર્ડે એક મોટો ર્નિણય કર્યો રેલ અકસ્માત પીડિતોને અપતા વળતરમાં ૧૦ ગણો વધારો કરાયો

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રેલવે બોર્ડે એક મોટો ર્નિણય કર્યો છે જેમાં રેલવે અક્સ્માતના પીડિતોને આપવામાં આવતા વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જાે કોઈ રેલ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે તેમજ ઈજાગ્રસ્ત થાય તો પહેલા કરતા તેને ૧૦ ગણું વધારે વળતર મળશે. આ પહેલા રેલવે દ્વારા છેલ્લી વખત એક્સ- ગ્રેશિયાની રકમ વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૩માં સુધારો કરવામાં આવ્યો હતો.
    એક રિપોર્ટ મુજબ રેલવે તરફથી મળતી જાણકારી મુજબ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તેમજ ઈજાગ્રસ્ત થયેલા યાત્રીના પરિજનોને આપવામાં આવતા વળતરની રકમમાં વધારો કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. રેલવેના ૧૮મી સપ્ટેમ્બરના જાહેર કરાયેલા પરિપત્રની તારીખથી જ આ લાગુ થઈ જશે.

    આ નવા વળતરની રકમમાં વધારો થયા બાદ હવેથી ટ્રેન દુર્ઘટનામાં મૃતક યાત્રીઓના પરિજનોને ૫૦ હજારની બદલે ૫ લાખ રુપિયા મળશે જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાત્રીઓને ૨૫ હજારની બદલે ૨.૫ લાખ રુપિયા આપવામાં આવશે. આ સિવાય નજીવી ઈજા થનારા યાત્રીઓને ૫ હજારને બદલે ૫૦ હજાર રુપિયા મળશે.

    રેલવે બોર્ડે દ્વરા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન દુર્ઘટનાના કિસ્સામાં જાે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મુસાફર ૩૦ દિવસથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ થવા પર તેમને વધારાની રકમ આપવાની પણ જાહેરાત કરવામા આવી છે જેમા દર ૧૦ દિવસના સમયગાળાના અંતે અથવા રજાની તારીખે બે માંથી જે વહેલું હોય તે દિવસે ૩ હજાર પ્રતિ દિવસ આપવામાં આવશે. આ ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રેલવે અધિનિયમ ૧૯૮૯ ટ્રેન દુર્ઘટના અને અપ્રિય ઘટનાઓમાં મુસાફરોના મૃત્યુ અથવા ઈજા માટે વળતરની જવાબદારી નક્કી કરે છે. આ અપ્રિય ઘટનાઓમાં આતંકવાદી હુમાલો, હિંસક હુમલો અને ટ્રેન લૂટ જેવા ગુનાઓનો સમાવેશ પણ થાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.