Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»સુરત શહેરમાં રોગચાળો વકર્યો ચોમાસાની જમાવટની સાથે વકરેલા રોગચાળાએ વધુ એકનો લીધો ભોગ
    Gujarat

    સુરત શહેરમાં રોગચાળો વકર્યો ચોમાસાની જમાવટની સાથે વકરેલા રોગચાળાએ વધુ એકનો લીધો ભોગ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 1, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં ચોમાસાની સિઝનની સાથે રોગાચાળો પણ વકર્યો છે. આ સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ખાસ કરીને સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો છે. સુરતમાં વકરેલા રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો છે. કાપોદ્રામાં તાવમાં સપડાયેલી વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. કોપોદ્રાના દશરથ નગરમાં રહેતા ધનીબેન બોરીચાને ૭ જુલાઈના રોજ તાવ આવતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં પણ તેમને તાવમાં રાહત ન થતા તેમને ખાનગી એમ્બ્યુલન્સમાં ભાવનગરની હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

    બનાવ બાદ ધનીબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ભાવનગર પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરમાં અત્યાર સુધી રોગચાળાના કારણે ૧૬ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે અને તેની સામે મોતનો આંકડો પણ સામે આવી રહ્યો છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહી છે. બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ૮ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ટીમો પણ બનાવવામાં આવી છે અને અલગ-અલગ જગ્યાઓ પર જ્યાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં તપાસ હાથ ધરી મચ્છરના બ્રિડિંગનો નાશ કરવામાં આવી રહ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.