Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મોદી સરકારને ઘેરવા વિપક્ષી મહાગઠબંધનની બેઠક ઈન્ડિયાની કોઓર્ડિનેશન સમિતિના ૧૩ સભ્યની જાહેરાત કરવામાં આવી
    India

    મોદી સરકારને ઘેરવા વિપક્ષી મહાગઠબંધનની બેઠક ઈન્ડિયાની કોઓર્ડિનેશન સમિતિના ૧૩ સભ્યની જાહેરાત કરવામાં આવી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 1, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મોદી સરકારને ઘેરવા માટે આજે મુંબઈ ખાતે વિપક્ષી મહાગઠબંધનની ત્રીજી બેઠક મળી છે. આ બેઠકમાં કહેવામાં આવી રહ્યું કે, વિપક્ષી મહાગઠબંધનના સંયોજક અને લોગો અંગેનો પણ ર્નિણય લેવાય શકે છે. ઈન્ડિયાગઠબંધનના સાથી પક્ષોની મુંબઈમાં બેઠક ચાલી રહી છે. સતત બીજા દિવસે આ બેઠકમાં ઘણા મહત્ત્વના ર્નિણયો લેવાયા હતા. તેમાં ૧૩ સભ્યો સાથેની કોઓર્ડિનેશન સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જાેકે હજુ સુધી સંયોજક અંગે કોઈ ર્નિણય લેવાયો નથી.
    મુંબઈમાં ચાલી રહેલી બેઠકમાં ઈન્ડિયાગઠબંધને કોઓર્ડિનેશન સમિતિની જાહેરાત કરી દીધી છે. આ ૧૩ સભ્યોની કોઓર્ડિનેશન સમિતિમાં સંજય રાઉત, સ્ટાલિન, લલન સિંહ, મહેબુબા મુફ્તી, ડી.રાજા, ઓમર અબ્દુલ્લાહ, શરદ પવાર, કે.સી.વેણુગોપલ, તેજસ્વી યાદવને પણ આ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. અભિષેક બેનરજી, રાઘવ ચઢ્ઢા, હેમંત સોરેનને પણ આ સમિતિના સભ્યો બનાવાયા છે.

    ઈન્ડિયાગઠબંધનના સાથી દળોએ બેઠક પૂર્ણ કર્યા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમાં વિવિધ નેતાઓએ તેમના મંતવ્યો રજૂ કરીને બેઠકમાં થયેલી ચર્ચા વિશે થોડી ઘણી માહિતીઓ આપતાં મોદી સરકાર સામે પણ નિશાન તાક્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદી સરકાર કોઈપણ વસ્તુના ભાવમાં એક સાથે ૧૦૦ રુપિયાનો વધારો કરે છે અને પછી લોકોને રાહત આપવાના નામે માત્ર રૂપિયા ૨નો જ ઘટાડો કરે છે. તેમણે કહ્યું કે મોદી સરકાર ઉદ્યોગપતિઓ સાથે જ ચાલે છે. બંધારણીય સંસ્થાનોનો સત્યાનાશ કરી રહ્યા છે.બેઠકમાં આ ત્રણ પ્રસ્તાવ પાસ થયા.

    ૧. બેઠકમાં વિપક્ષી દળોએ સંકલ્પ લીધો કે આગામી લોકસભા ચૂંટણી જ્યાં સુધી સંભવ હોય સાથે મળીને લડાશે. જુદા જુદા રાજ્યોમાં સીટ વહેંચણી મુદ્દે જલદી ચર્ચા શરૂ કરાશે અને એકબીજા સાથે સહયોગી ભાવના અપનાવતા તેના પર વહેલી તકે ર્નિણય લેવાશે.
    ૨. બેઠકમાં સંકલ્પ લેવાયો કે વિપક્ષી દળો જાહેર ચિંતા તથા મહત્ત્વના મુદ્દાઓ પર દેશના જુદા જુદા ભાગોમાં જલદીથી જલદી જાહેર રેલીઓ યોજશે.
    ૩. ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંકલ્પ લીધો કે જુડેગા ભારત, જીતેગા ઈન્ડિયા થીમ સાથે જુદી જુદી ભાષાઓમાં તેમની સંબંધિત કમ્યુનિકેશન અને મીડિયા રણનીતિઓ તથા અભિયાનોનું સમન્વય કરાશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Nitish kumar: નવી સરકારની બીજી કેબિનેટ બેઠક – 19 દરખાસ્તોને મંજૂરી

    December 9, 2025

    Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધીનો પ્રહાર: ચૂંટણી પંચ, SIR અને મત ચોરી પર ગંભીર આરોપો

    December 9, 2025

    Vande Mataram debate: પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જનતાના મહત્વના મુદ્દાઓની અવગણના કરવામાં આવી રહી છે!

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.